SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ગાથા ૭૪માં શ્રીગુરુએ કહ્યું કે ચેતનની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય તો ભૂમિકા કર્મને કોણ ગ્રહણ કરે? જડ અને ચેતન બન્નેના ધર્મ વિચારતાં સમજાશે કે પ્રેરણા આપવાનો સ્વભાવ જડમાં નથી. કર્મ કરવાની પ્રેરણા આપનાર ચેતન છે, માટે તે કર્મનો કર્તા છે. ગાથા — આમ, કર્મનો કર્તા કર્મ છે એવી શંકાનો જવાબ ગાથા ૭૪માં આપ્યા પછી, ગાથા ૭૧ના ઉત્તરાર્ધમાં રજૂ કરેલી દલીલનું સમાધાન ગાથા ૭પ દ્વારા કરી, શ્રીગુરુ શિષ્યના અંતરમાં ઉદ્ભવેલ શલ્ય દૂર કરે છે. ગાથા ૭૧ના ઉત્તરાર્ધમાં શિષ્યે કહ્યું ‘અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ', અર્થાત્ આત્માના કોઈ પણ પ્રકારના પ્રયત્ન વિના કર્મ અનાયાસે આત્મા સાથે બંધાય છે અને તેથી આત્મા અબંધ છે એમ માનવું યોગ્ય છે. જો આમ ન હોય અને જીવ કર્મ કરતો હોય તો કર્મ કરવું એ જીવનો ધર્મ ઠરે. આ બન્ને વિકલ્પોનું સમાધાન પ્રસ્તુત ગાથામાં કરતાં શ્રીગુરુ કહે છે ૭૫ ‘જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ,' (૭૫) Jain Education International અર્થ આત્મા જો કર્મ કરતો નથી, તો તે થતાં નથી; તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી; તેમ જ તે જીવનો ધર્મ પણ નહીં, કેમકે સ્વભાવનો નાશ થાય નહીં, અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ નહીં. (૭૫) જ્યારે ચેતન એવો આત્મા રાગ-દ્વેષ કરે છે ત્યારે જ કર્મ બંધાય છે. ચેતન ભાવાર્થ જો રાગ-દ્વેષ કરે નહીં તો કર્મ બંધાતાં નથી. તેથી એમ નક્કી થાય છે કે કર્મો સહજ સ્વભાવે બંધાતાં નથી. કર્મ પ્રયત્ન વિના થયા કરે છે એમ કહેવું યુક્તિયુક્ત નથી, કારણ કે કર્મબંધની પ્રવૃત્તિ તો ચેતનની પ્રેરણાથી થાય છે. જો ચેતન રાગ-દ્વેષ કરે તો કર્મનું ગ્રહણ થાય છે અને ન કરે તો કર્મનું ગ્રહણ થતું નથી, માટે સહજ સ્વભાવે કર્મ થાય છે એમ કહેવું ઘટતું નથી. For Private & Personal Use Only વળી, કર્મનું ગ્રહવાપણું જીવની પ્રેરણાથી જ થાય છે, માટે તે જીવનો ધર્મ છે, સ્વભાવ છે એમ કહેવું પણ યોગ્ય નથી; કારણ કે સ્વભાવનો નાશ કોઈ કાળે થાય www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy