SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૬૯ ભૂમિકા 'અશો ગાથા ૬૮માં શ્રીગુરુએ કહ્યું કે આત્મા દ્રવ્યપણે નિત્ય છે અને અવસ્થાઓનું પલટવાપણું હોવાથી પર્યાયપણે અનિત્ય છે. બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણે અવસ્થાઓનું જાણપણું તે ને તે જ જીવને થાય છે, અર્થાત્ ત્રણે અવસ્થાઓનું જ્ઞાન એક જ જ્ઞાયકસત્તાને થતું હોવાથી આત્મા નિત્ય છે. આમ, વસ્તુમાત્રમાં નિત્ય તથા અનિત્ય ધર્મ હોવા છતાં જેઓ આત્માનું અસ્તિત્વ સ્વીકારતા હોવા છતાં પણ તેને સર્વથા અનિત્ય - ઉત્પત્તિલયરૂપ ક્ષણિક માને છે; તેમની માન્યતાનું અયથાર્થપણું યુક્તિ દ્વારા બતાવી, આત્માના ક્ષણવર્તી અસ્તિત્વની સંભાવના શક્ય નથી એમ જણાવતાં શ્રીગુરુ કહે છે – |ગાથા “અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર.” (૬૯) - વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત્ જાણનાર ક્ષણિક હોય નહીં; કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કર. (૬૯) વસ્તુ ક્ષણે ક્ષણે પલટાતી હોવાનો અનુભવ થયા કરે છે, તેથી દરેકે દરેક | ભાવાર્થ 1 વસ્તુ ક્ષણિક જ છે એમ મનાય છે, પણ એમ માનવું ન્યાયયુક્ત નથી; કારણ કે ક્ષણિકતાનો સિદ્ધાંત પ્રગટ કરનાર કદી પણ ક્ષણિક હોઈ શકે જ નહીં. આ વસ્તુ ક્ષણિક છે એમ જે કહે છે તે કહેનાર ક્ષણિક હોઈ શકે જ નહીં, કારણ કે જે ક્ષણે અનુભવ થાય, તે અનુભવને કહેવો હોય તો તે બીજી ક્ષણે જ કહી શકાય. પહેલી ક્ષણ તો પદાર્થ ક્ષણિક છે એમ અનુભવ કરવામાં જ વીતી જાય. હવે તે અનુભવનું વર્ણન કરે ત્યારે તો બીજી ક્ષણ થઈ જાય છે. જો અનુભવ કરનાર ક્ષણિક જ હોય તો બીજી ક્ષણ થતાં જ તે નાશ પામવાથી તેનું વર્ણન કોણ કરશે? જો પોતે જ બીજી ક્ષણે ન હોય તો તે અનુભવ કઈ રીતે વર્ણવી શકાય? માટે વર્ણન કરનાર આત્મા ક્ષણિક નથી એવો નિર્ણય વિચારપૂર્વક કરવા યોગ્ય છે. વસ્તુમાત્ર જો ક્ષણિક હોય તો ક્ષણિક પદાર્થને જાણીને, બીજી ક્ષણે નાશ પામનાર સ્વભાવવાળો જીવ, વસ્તુ ક્ષણિક છે' એવો અનુભવ પ્રગટ કરતાં પહેલાં નાશ પામવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy