SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૬૭ ૩૭૫ અનુભવથી પણ પૂર્વજન્મની પ્રતીતિ થાય છે. પૂર્વજન્મની સિદ્ધિ થતાં આત્માની નિત્યતાની સિદ્ધિ થાય છે. પૂર્વજન્મનું સ્મરણ થાય છે, માટે આત્માની નિત્યતા માનવી ઘટે છે. પ્રત્યેક ભવમાં સુખ-દુ:ખ વેદનાર શરીરથી જુદો નિત્ય આત્મા માનવા યોગ્ય છે. જાતિસ્મરણજ્ઞાન એ આત્માના નિત્યસ્વરૂપ અસ્તિત્વનો પ્રબળ પુરાવો છે. પૂર્વજન્મવિષયક સંશોધનમાં, જાતિસ્મરણના કિસ્સાઓના અભ્યાસ ઉપરાંત એક નવી પદ્ધતિનો પણ પ્રયોગ થઈ રહ્યો છે. એ છે Hypnotic Age Regression'. આ પદ્ધતિ અનુસાર વ્યક્તિને વશીકરણ (hypnotism) દ્વારા ગાઢ ઊંઘ જેવી અવસ્થા (trance)માં લઈ જવામાં આવે છે અને પછી તેની ભૂતકાળની સ્મૃતિઓ જાગૃત કરાવાય છે. સામાન્ય રીતે તો અતિ દૂરના ભૂતકાળના કોઈ વિશિષ્ટ પ્રસંગો જ જીવ યાદ કરી શકે છે, પણ દસ વર્ષ પૂર્વે અમુક દિવસે તેણે શું કરેલું એ યાદ આવતું નથી; પરંતુ ગાઢ ‘ટ્રાન્સ'ની સ્થિતિમાં તે દિવસ જાણે તે અત્યારે જીવી રહ્યો હોય એટલી સ્પષ્ટતાથી સ્મૃતિપટ ઉપર ઊપસી આવે છે. 'હિપ્નોસિસ'ની ગાઢ ‘ટ્રાન્સમાં જ્ઞાનશક્તિનો ઉઘાડ થઈ જતાં દેશ-કાળની મર્યાદાની પાળ તૂટી જતી જોવામાં આવે છે. આ અવસ્થામાં માત્ર પૂર્વભવની જ નહીં પણ અનેક જન્મોની સ્મૃતિ જાગૃત થઈ શકે છે. આ પ્રયોગ દ્વારા વ્યક્તિ પોતાની જાતને પૂર્વજન્મમાં વિદ્યમાન માને છે અને જાણે કે એ જન્મની અવસ્થાઓને વર્તમાન કાળમાં અનુભવતી હોય એ રીતે એનું વર્ણન કરે છે. દા.ત. બાળપણનો પ્રસંગ હોય તો બાળક જેવો અવાજ અને દુઃખનો પ્રસંગ હોય તો વેદનાભર્યો સ્વર વગેરે. જાણે સ્મૃતિમાં લવાતો પૂર્વજીવનનો પ્રસંગ કોઈ નિષ્ણાત અદાકાર અત્યારે જ ભજવી ન રહ્યો હોય! ઊંડા સંમોહન(hypnotism)ના પ્રયોગોમાં માણસને ઘણાં વર્ષોનાં ઊંડાણમાં લઈ જવામાં આવે છે અને પ્રશ્નો પૂછવામાં આવે છે. તમે પાંચ વર્ષના હતા ત્યારે શું કરતા હતા? તમે બે વર્ષના હતા ત્યારે શું કરતા હતા? આવા પ્રશ્નો પૂછાતાં સંમોહનની પ્રક્રિયામાં કેટલીક વાર તે વ્યક્તિ અંગૂઠો મોઢામાં મૂકીને ચૂસવા લાગે છે. હિપ્નોટિસ્ટો આના કરતાં પણ વધારે ઊંડા જાય છે. તમે છ મહિનાના હતા ત્યારે શું કરતા હતા? માતાના ઉદરમાં ગર્ભ તરીકે હતા ત્યારે શું કરતા હતા? કેવી રીતે રહેતા હતા અને એ જ પ્રમાણે હજુ પાછળ પાછળનાં વર્ષોમાં લઈ જવા માટે તેમને પૂછવામાં આવે છે કે તમે ગયા જન્મમાં કોણ હતા? ક્યાં હતા? કેવા હતા? આવા પ્રશ્નોની હારમાળાથી પૂર્વજન્મની હકીકત જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સંમોહનની પ્રક્રિયામાં માણસ પૂર્વજન્મની હકીકતો કહી શકે છે. હિપ્નોટિઝમના પુરસ્કર્તા આધુનિક વૈજ્ઞાનિકો કહે છે કે માનવમનના બે વિભાગ છે - જાગૃત મન (conscious mind) અને અવચેતન મન (sub-conscious Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy