SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૫૯ ૨૬૯ અગત્યનો ગુણ છે. ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે. જીવમાં જ્યારે વિનય આવે છે ત્યારે તે વિશુદ્ધ થાય છે. અહીં શિષ્યમાં વિનય જાગ્યો છે, શ્રીગુરુની ભક્તિ પ્રગટી છે, અહં વિરામ પામ્યો છે; જે તેના શ્રીગુરુ પ્રત્યેના વ્યવહારથી જણાઈ આવે છે. તે અત્યંત વિનયપૂર્વક પોતાની શંકા રજૂ કરે છે અને સમાધાનની યાચના કરે છે. મધ્યસ્થ બુદ્ધિવાળો શિષ્ય ધીરજ રાખી સદ્ગુરુના ઉત્તરો સાંભળે છે. શિષ્યને સમજવાની તીવ્ર રુચિ હોવાથી તે શ્રીગુરુના સમાધાનને એકાગ્રતાથી સાંભળે છે. જે વિષયમાં રુચિ હોય છે તેમાં મન આપોઆપ જોડાઈ જાય છે, લાંબો સમય કેન્દ્રિત રહે છે અને વચ્ચે કોઈ વિક્ષેપ પડે તોપણ તે બેધ્યાન થતું નથી. જ્યાં રસ હોય ત્યાં એકાગ્રતા સ્વતઃ સધાય છે. શિષ્યને સમ્યક્ નિર્ણયનો રસ હોવાથી શિષ્ય એકચિત્તે શ્રીગુરુના બોધનું શ્રવણ કરે છે અને તેના ઉપર વિચાર કરે છે. શ્રીગુરુના બોધ ઉપરની વિચારણા એ શિષ્યની રુચિનું દ્યોતક છે. એના ઉપરથી તેની અંતરંગ રુચિ શી છે, જીવનનું ધ્યેય ક્યાં સ્થપાયું છે એ પકડી શકાય છે. રસ વગરના શ્રવણથી વિચારનું ઊગવું સંભવતું નથી. શિષ્યને શ્રીગુરુનું સમાધાન અપૂર્વ લાગે છે. તે સદ્ગુરુના ઉપદેશથી અંતરમાં અતીવ આનંદિત થાય છે અને બોધને સમ્યપણે ગ્રહણ કરી તેની વિચારણામાં તરબોળ બને છે. તે શ્રીગુરુના સમાધાનને બરાબર સમજવાનો પ્રયત્ન કરે છે. સમજ્યા વિના ‘પ્રમાણ વચન' કહેવાને બદલે તે પૂર્ણપણે સમજવાનો પુરુષાર્થ કરે છે. તે શ્રીગુરુની વાત ઉપર વિચારણા કરીને શ્રદ્ધા કરે છે. પૂર્ણ રીતે સમાધાન ન થાય ત્યાં સુધી | વિનયપૂર્વક પૂછે છે અને સમાધાન ઉપર ચિંતન કરી, દેઢ તત્ત્વનિર્ણય કરે છે. શિષ્ય વિચારવાન અને ન્યાયને ઊંડાણથી સમજનાર હોવાથી તે શ્રીગુરુના સમાધાનને ઝટ સમજી જાય છે. તેના બધા જ પ્રશ્નોનો નિકાલ થાય છે. શ્રીગુરુનાં વચનો સાંભળી, તેના ઉપર વિચાર કરવાથી તેનું અંતર જાગૃત થાય છે અને તેને આત્માના અસ્તિત્વની પ્રતીતિ હૃદયગત થઈ જાય છે. તે જે નિર્ણય કરે છે તેને તે ભૂલી જાય તેમ નથી. તે આત્માના અસ્તિત્વને પોતાના અંતરની પ્રતીતિથી એવી રીતે સમજે છે કે ફરીને તેમાં સંદેહ ન આવે. તે આ પ્રતીતિને શ્રીગુરુની મહતુ કૃપાનું ફળ માને છે. સમાધાન થયા પછી તે તેનો વિનયપૂર્વક, પૂર્ણપણે, મુક્ત કંઠે સ્વીકાર પણ કરે છે. આવો જિજ્ઞાસુ, વિનયવંત, સુવિચારવાન શિષ્ય જ તત્ત્વજ્ઞાનનો સાચો અધિકારી છે અને તે જ આત્મદ્રષ્ટા સદ્ગુરુની અપૂર્વ વાણી દ્વારા અમૂલ્ય લાભ પ્રાપ્ત કરી શકે છે. શ્રીગુરુનું કાર્ય પણ અદ્ભુત છે. તેમનું કાર્ય છે જીવે જે ભ્રાંતિયુક્ત અભિપ્રાયો બાંધી રાખ્યા છે તેને તોડાવવાનું અને આ કાર્ય કરવા માટે પહેલાં તો તેઓ એ અભિપ્રાયોનું મિથ્યાપણું સિદ્ધ કરે છે. જીવ ખોટા ખ્યાલ બાંધે છે અને પછી એને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy