SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન નથી. દૂધમાં દૂધ મેળવતાં વાસણમાં આ બાજુ મુંબઈનું દૂધ છે અને આ બાજુ અમદાવાદનું દૂધ છે એમ ઓળખી નથી શકાતું. તળાવમાં વરસાદનું પાણી ભળી ગયું હોય તો આ તળાવનું પાણી છે અને આ વરસાદનું પાણી છે એમ સ્પષ્ટ નથી દેખાતું, કારણ કે તે સમાનરૂપે મળી ગયાં છે. (૧૧) અનુપયોગ ચિત્તના ઉપયોગના અભાવે ઘણી વસ્તુ જણાતી નથી, જેમ કે મનુષ્યનું ધ્યાન કશાકમાં રૂપ આદિમાં મગ્ન હોય તો તે વખતે તે ગંધ વગેરેને નથી જાણી શકતો. (૧૨) અનુપાય યોગ્ય ઉપાયના અભાવે પણ વસ્તુ જણાતી નથી, જેમ કે કોઈ શીંગડું જોઈને ગાયના દૂધનું પરિમાણ જાણવા માગે તો તે જાણી ન શકે, કારણ કે દૂધનું પરિમાણ જાણવામાં શીંગડું એ ઉપાય નથી. (૧૩) વિસ્મરણ ભૂલી જવાથી પહેલાંની વસ્તુ ન જણાય. (૧૪) દુરાગમ ખોટો ઉપદેશ મળવાથી પણ વસ્તુ ભિન્ન મનાય અથવા પ્રાપ્ત ન થાય, જેમ કે ખોટો ઉપદેશ મળ્યો હોય તો સુવર્ણ જેવી ચમકતી રેતીને સુવર્ણ માને છતાં સુવર્ણની ઉપલબ્ધિ ન થાય. મૂઢ મતિ અથવા મિથ્યા મતિના કારણે વિદ્યમાન જીવાદિ તત્ત્વોનું જ્ઞાન દર્શનશક્તિના અભાવના કારણે ન દેખાય, જેમ કે જન્માંધને વસ્તુ (૧૭) વિકાર શારીરિક વિકારના કારણે પૂર્વોપલબ્ધ વસ્તુની પણ ઉપલબ્ધ થતી નથી, જેમ કે વૃદ્ધાવસ્થા કે સનેપાત હોય તો તેના કારણે પણ વસ્તુ જણાતી નથી. (૧૫) મોહ થતું નથી. - (૧૬) વિદર્શન હોવા છતાં ન દેખાય. (૧૮) અક્રિયા ક્રિયા ન થવાથી ઘણી વાર વસ્તુ છતી થતી નથી, જેમ કે જમીન ખોદવાની ક્રિયા ન કરાય તો વૃક્ષનું મૂળ નથી દેખાતું અથવા વલોવવાની ક્રિયા ન થાય તો માખણ દેખાતું નથી. Jain Education International (૧૯) અધિગમ (૨૦) કાલવિપ્રકર્ષ (૨૧) સ્વભાવવિપ્રકર્ષ દેખાય, જેમ કે આકાશાદિ નથી દેખાતા. ઉપર્યુક્ત ૨૧ પ્રકારે વસ્તુ વિદ્યમાન હોવા છતાં તેની અનુપલબ્ધિ થાય છે. વસ્તુ શાસ્ત્રના અશ્રવણને કારણે શાસ્ત્રના અર્થનો બોધ નથી થતો. કાલવિપ્રકર્ષના કારણે ભૂત-ભાવિ વસ્તુની ઉપલબ્ધિ નથી થતી. અમૂર્ત વસ્તુઓ પોતાના તથાપ્રકારના સ્વભાવના કારણે ન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy