SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ગ્રંથસર્જન મુમુક્ષુઓને માર્ગદર્શક થઈ પડે એવો ૧૫ ગાથાનો અત્યંત મનનીય ઉપસંહાર રચ્યો છે. તેમાં મુમુક્ષુ જીવોના હિતાર્થે ભૂલોનાં સંભવિત સ્થાનકો સ્પષ્ટતાથી દર્શાવી શ્રીમદે પરમ ઉપકાર કર્યો છે. છ પદમાં છએ દર્શનો સમાય છે અને તેનો વિસ્તારપૂર્વક વિચાર કરવાથી સમ્યગ્દર્શનનાં આ ષસ્થાનકમાં નિઃશંકતા પ્રાપ્ત થશે એમ જણાવ્યા પછી શ્રીમદે આત્મબ્રાંતિરૂપ મહાવ્યાધિની સંપૂર્ણ ચિકિત્સા બતાવી, પુરુષાર્થ દ્વારા પરમાર્થ સાધવાની પ્રેરણા કરી છે. તેમણે નિશ્ચય અને વ્યવહારના સમન્વયપૂર્વક પ્રવર્તવાની શીખ આપી, વ્યવહારનો કે નિશ્ચયનો એકાંતે આગ્રહ ન કરવાની ચેતવણી આપી છે. વળી, સિદ્ધપદની પ્રાપ્તિ માટે ઉપાદાન-નિમિત્તની સંધિરૂપ માર્ગનું પ્રતિપાદન કર્યું છે તથા એકાંતે ઉપાદાનનું નામ લઈ નિમિત્તને તજનાર જીવની અવદશાનું દર્શન કરાવ્યું છે. અંતરમાં ભરપૂર મોહ હોય અને જ્ઞાનની માત્ર વાત કરે તો જ્ઞાનીની આશાતના થાય છે એમ બતાવી તેમણે મુમુક્ષુનાં અને જ્ઞાનીનાં કસોટીમૂલક લક્ષણ બતાવ્યાં છે. આ શાસ્ત્રની ઉપાંત્ય ગાથામાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું મંગલ ફળ બતાવી તેમણે કહ્યું કે પ્રથમ પાંચ પદ વિચારીને મોક્ષોપાયરૂપી છઠ્ઠા પદને સમ્યકપણે આરાધનાર નિઃશંકપણે પાંચમું પદ - મોક્ષ પામશે. અંતિમ ગાથામાં તેમણે દેહધારી કિંતુ વિદેહી દશાવાન એવા જ્ઞાનીપુરુષના ચરણકમળમાં વંદન કરી, અંત્ય મંગલ કરી, આત્મોત્થાનમાં પરમ અવલંબનભૂત એવા આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પૂર્ણાહુતિ કરી છે. આમ, મોક્ષમાર્ગના પ્રણેતા શ્રીમદે માત્ર ૧૪૨ ગાથાઓમાં સર્વ શાસ્ત્રોનો સાર સમાવ્યો છે. અન્ય ગ્રંથોમાં જે તત્ત્વજ્ઞાનનું વિસ્તારથી વિવેચન છે તેનો સાર અત્યંત સરળ ભાષામાં નિરૂપી, જિજ્ઞાસુ જીવો ઉપર તેમણે મહાન ઉપકાર કર્યો છે. આત્માનું સાચું સ્વરૂપ શું છે એનું પ્રતીતિજનક નિરૂપણ તથા પ્રદર્શનનું સમગ્ર વિહંગાવલોકન શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં સાંપડે છે. સિદ્ધાંતની સમજૂતી આપતો ગ્રંથ હોવા છતાં આ શાસ્ત્રમાં સૈદ્ધાંતિક ગ્રંથો જેવી કઠિનતા નથી. પાઠક બહુ સૂક્ષ્મ તર્કમાં ગૂંચવાઈ ન જાય, રૂક્ષ ચર્ચાથી કંટાળી ન જાય કે ઈષ્ટ વિષયથી દૂર ઘસડાઈ ન જાય તથા તેને સૂક્ષ્મ વિચારણાની પ્રેરણા મળે અને તે વિચારણા જાગતાં પાઠક આત્મતત્ત્વ સંબંધી નિઃશંકતા સ્વયં પ્રાપ્ત કરે તેવી સરળ, સુરેખ અને સુયુક્ત રચના શ્રીમદે અદ્ભુત શૈલીથી કરી છે. આવા પરમોચ્ચ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરતાં જીવ પાવન થાય છે, પાત્ર થાય છે અને પરમ વિશુદ્ધિને પામે છે. તેથી આ શાસ્ત્ર સૌ કોઈ કલ્યાણવાંછુ મુમુક્ષુ જીવે નિત્ય અવગાહન કરી અંતરમાં સુસ્થિત કરવા યોગ્ય છે. ગ્રંથશૈલી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' એ શ્રીમન્ના આત્માના અનુભવમાંથી પ્રાપ્ત થયેલી આત્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy