SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથસર્જન ૧૯ હતી. શ્રીમન્ના અન્ય પરિચિત મુમુક્ષુઓને પણ આ ગ્રંથના અધ્યયનની પરવાનગી મળી ન હતી. શ્રીમના જીવનકાળ દરમ્યાન આ ગ્રંથ પ્રકાશિત થયો ન હતો અને તેથી ખૂબ ઓછા લોકોને તે વિષેની જાણ હતી. શ્રી લલ્લુજી મુનિ સાથેના શ્રી દેવકરણજી મુનિ બહુ પ્રજ્ઞાવાળા ગણાતા હતા. જો શ્રી દેવકરણજી મુનિને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વાંચવાની વિશેષ આકાંક્ષા હોય તો તેમણે આ શાસ્ત્ર કઈ રીતે અવગાહવું, તેનું માર્ગદર્શન આપતાં શ્રીમદ્ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સાથે મોકલેલા વિ.સં. ૧૯પરના આસો વદ ૧૦ ના પત્રમાં શ્રી લલ્લુજી મુનિને લખે છે – એકાંતમાં અવગાહવાને અર્થે “આત્મસિદ્ધિશાસ્ત્ર' આ જોડે મોકલ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા યોગ્ય છે. ..... આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તોપણ જે શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સન્દુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ, અને આત્માને પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો, ભિન્નભાવરહિત, લોકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે.' શ્રી ડુંગરશીભાઈને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' મોઢે કરવાની ઇચ્છા થઈ હોવાથી તેની નકલ કરવા અંગે શ્રી સૌભાગ્યભાઈ દ્વારા શ્રીમદ્ પુછાવતાં શ્રીમદે મુખપાઠ કરવા તો અનુમતિ આપી હતી, પણ બીજી પ્રત ઉતારવાની રજા આપી ન હતી. શ્રીમદે વિ.સં. ૧૯૫૨ના આસો વદ અમાસના પત્રમાં શ્રી સૌભાગ્યભાઈને લખ્યું હતું કે – શ્રી ડુંગરને “આત્મસિદ્ધિ” મુખપાઠ કરવાની ઇચ્છા છે. તે માટે તે પ્રત એમને આપવા વિષે પુછાવ્યું તો તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠ કરવાની આજ્ઞા છે, પણ હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતાં આ પ્રત છે તે ઉપરથી જ મુખપાઠ કરવા યોગ્ય છે, અને હાલ આ પ્રત તમે શ્રી ડુંગરને આપશો. તેમને જણાવશો કે મુખપાઠ કર્યા પછી પાછી આપશો, પણ બીજો ઉતારો કરશો નહીં. ..... ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૫૭-૫૫૮ (પત્રાંક-૭૧૯) ૨- જુઓ : ‘તત્કાળ મોક્ષ', પૃ. ૨૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy