SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૩ ૬૦૫ કરુણાથી જીવોને તેમના દોષો સમજાવી, આત્માર્થનો માર્ગ દર્શાવ્યો છે કે જે માર્ગે વિકાસ સાધીને જીવ ઉન્નત ભૂમિકા ઉપર પગ મૂકવાને યોગ્ય થાય છે. શ્રીમદે દર્શાવેલા મતાર્થી જીવનાં લક્ષણો વિષે પંડિત સુખલાલજીએ યોગ્ય જ લખ્યું છે કે – ‘આવા મતાર્થીનાં અનેક લક્ષણો તેમણે સ્કુટ અને જરા વિસ્તારથી દર્શાવ્યાં છે જે તદ્દન અનુભવસિદ્ધ છે અને ગમે તે પંથમાં મળી આવે છે..... શ્રીમદ્ રાજચંદ્રનું આ કથન જેટલું અનુભવમૂલક છે તેટલું જ બધી પરંપરાઓને એકસરખું લાગુ પડે છે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘લક્ષણ કહ્યાં મતાર્થીનાં, જાણી રહેવા દૂર; રખે વળગતું પાપ એ, સાચી સમજણ ઉર. હવે સદુદ્યમ સદ્ય આ, મતાર્થ જાવા કાજ; પ્રતિદિન સત્સંગે રહું, આત્મ અર્થ વરવા જ. તેથી તત્ત્વ સ્વરૂપ નિજ, યથાર્થ તો સમજાય; હવે કહું આત્માર્થીનાં, લક્ષણ જેમ પમાય. સાર એ જ સંસારમાં, શ્રીમદ્ સદ્ગુરુ રાજ; હિત શિક્ષાએ ચાલવું, આત્મ-અર્થ સુખસાજ.'૨ ૧- પંડિત સુખલાલજી, ‘દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃ.૭૯૮ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૧ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૨૯-૧૩૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy