SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૦ ૫૬૫ અલિપ્ત રહ્યું છે એવું તારું શુદ્ધ સ્વરૂપ તારી પ્રતીક્ષા કરે છે. તેથી તું સત્સાધનના ખંડનથી નિવર્ત અને સાધનદશા કેળવી જ્ઞાનદશા પ્રગટાવ. જો આ પ્રમાણે અભ્યાસ કરશે તો તું તારા લક્ષ તરફની યાત્રામાં દઢતાપૂર્વક ત્વરાથી પ્રગતિ કરી તારું ઇષ્ટ ધ્યેય પાર પાડી શકશે. માટે હે ભવ્ય! સત્સાધનમાં પ્રવર્તમાન થઈ જ્ઞાનદશાને સાધ અને એવા જ જીવોનો સંગ કર કે જેમને જ્ઞાનદશા પ્રગટી હોય કે જેઓ સાધનદશાનું અવલંબન લઈ જ્ઞાનદશા પ્રગટાવવાનો પુરુષાર્થ કરી રહ્યા હોય.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ‘જ્ઞાનદશા પામે નહીં, અસત્સંગને જોર; હૃદય શુષ્ક છે જેહનું, મિથ્યાતમ મહા ઘોર. ઉપશમ ને વૈરાગ્ય એ, સાધનદશા ન કાંઈ; જેથી નિજગુણ નવ લહે, સુવિચારે ઘટમાંહિ. ઉદ્ધતાઇ આદિ ઘણા, દોષ મૂછિત ચિત્ત; પામે તેનો સંગ જે, સુખી ન થાયે ખચીત. અનેકાંત સમજે નહીં, એકાંતિક પણ નહિ; એવા સોબતીઓ સહિત, તે બૂડે ભવ માંહીં.' ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૦ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૧૧૭-૧૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy