SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૯ પ૩૭ છે. તે દ્રવ્ય કર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન છે; અર્થાત્ પરદ્રવ્ય અને પરભાવથી રહિત એવું તે શુદ્ધ ચિદાનંદતત્ત્વ છે. આત્માનું આવું શુદ્ધ સ્વરૂપ પ્રરૂપવું તે નિશ્ચયનયનો વિષય છે. સંસારી આત્મા રાગાદિ વિકારોથી યુક્ત છે, કર્મોનો સંગ હોવાથી મલિન છે. તેણે કોઈ ને કોઈ દેહાકૃતિ ધારણ કરી છે અને તેથી તે મનુષ્ય આદિ રૂપથી ઓળખાય છે. આ પ્રકારે આત્માની સાંયોગિક અશુદ્ધ અવસ્થા પ્રરૂપવી તે વ્યવહારનયનો વિષય છે. આમ, વ્યવહારનય પરના આધારે સ્વની ઓળખાણ આપે છે અને નિશ્ચયનય સ્વભાવના આધારે સ્વની ઓળખાણ આપે છે. મેલા વસ્ત્રના દૃષ્ટાંત વડે આ વાત સ્પષ્ટપણે સમજાશે. મેલના સંબંધથી વસ્ત્ર મલિન છે. ‘મેલું વસ્ત્ર’ એમ જે કહેવુંમાનવું છે તે વ્યવહારથી છે, કારણ કે એમ કહેવામાં જ ‘વસ્ત્ર’ અને ‘મલિનતા'ની ભિન્નતા જણાઈ આવે છે. વસ્ત્રથી મલિનતા જુદી કરવી હોય તો તે થઈ શકે છે. તેને જુદાં કરવાની વિધિ જે જાણે છે તેના આશ્રયે તે વિધિ જાણવી જોઈએ અને તે વિધિ પ્રમાણે પ્રયત્ન કરવો જોઈએ. જેમ જેમ તે વિધિનું સેવન કરવામાં આવે તેમ તેમ વસ્ત્રના શુદ્ધ સ્વભાવ પ્રત્યે અધિક અધિક નજીક જવાય. જેમ જેમ નજીક જવાય તેમ તેમ તે રૂપે થવાય. તે જ પ્રમાણે આત્મા કર્મના સંયોગથી અશુદ્ધ છે. “અશુદ્ધ આત્મા' એમ જે કહેવું માનવું છે તે વ્યવહારથી છે, કારણ કે એમ કહેવામાં જ ‘આત્મા’ અને ‘અશુદ્ધિ' ની ભિન્નતા જણાઈ આવે છે. આત્માથી અશુદ્ધિ જુદી કરવી હોય તો તે થઈ શકે છે. તેને જુદાં કરવાની વિધિ જે જાણે છે (જેણે તે જુદાં કર્યા છે), તેમના આશ્રયે તે વિધિ જાણી તેનું સેવન કરવું જોઈએ. જેમ જેમ તે વિધિનું સેવન કરવામાં આવે છે, તેમ તેમ આત્માના સ્વભાવની અધિક ને અધિક નજીક જઈ ‘તે'રૂપ થવાય છે. આમ, નિશ્ચયનયથી આત્મા શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, અબંધ, અસંગ અને સિદ્ધ સમાન છે તે લક્ષમાં રાખી, તેની સન્મુખ દૃષ્ટિ કરી, સત્સાધનો દ્વારા તેને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થી થઈ, આત્મા જેવો છે તેવો પ્રગટ કરવા યોગ્ય છે. નિશ્ચયનય દ્વારા દેહથી અને કર્મથી રહિત આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે, સ્વરૂપની જાગૃતિ આવે છે અને તેની પ્રાપ્તિ માટેની સાચી ભાવના ઉદયમાં આવે છે. વ્યવહારનય દ્વારા આત્માની અશુદ્ધ દશાનું ભાન થાય છે અને તે ટાળવાની અભિલાષા જાગે છે. નિશ્ચયનયથી મૂળ સ્વભાવ કેવો છે તે જાણી, વ્યવહારનયથી જણાયેલી અશુદ્ધતા સત્સાધન દ્વારા દૂર કરી, તે મૂળ સ્વભાવ પ્રગટાવવો ઘટે છે. આ રીતે બને નયનું અવલંબન જરૂરી છે, તેથી જ્ઞાનીઓએ બન્ને પ્રકારના નયને અવલંબતો અનેકાંતિક ઉપદેશ જીવોનાં કલ્યાણાર્થે પ્રકાશ્યો છે. જો જીવ માત્ર આત્માના શુદ્ધ સ્વભાવને રહી એકાંત નિશ્ચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy