SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ર૭. ' અથ) - ગાથા ૨૬માં કહ્યું કે મતાથી જીવને ક્યારેક સગુરુનો યોગ થઈ જાય ભૂમિકા 1 તોપણ તે તેમના ઉપદેશથી વિરુદ્ધ ચાલે છે. પોતે માનેલા ગુરુ અસગુરુ હોવા છતાં, તેમના પ્રત્યે મમત્વ દઢ કરી તે તેમને સેવે છે અને પોતાને ખરેખરો દેઢ મુમુક્ષુ માને છે. આમ, ગાથા ૨૪, ૨૫, ૨૬માં ગુરુતત્ત્વ તથા દેવતત્ત્વ સંબંધી પ્રવર્તતા મતાર્થના પ્રકાર દર્શાવી, હવે ગાથા ૨૭ તથા ગાથા ૨૮માં ધર્મતત્ત્વ સંબંધી પ્રવર્તી રહેલા મતાર્થના પ્રકારનું દર્શન કરાવે છે. પ્રસ્તુત ગાથામાં શાસ્ત્ર (શ્રત), મત, વેષ સંબંધી કેવી મિથ્યા માન્યતા પ્રવર્તી રહી છે તે દર્શાવતાં શ્રીમદ્ કહે છે – ‘દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; ગાથા માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન.' (૨૭) દેવ-નારકાદિ ગતિના “ભાંગા આદિનાં સ્વરૂપ કોઈક વિશેષ પરમાર્થહેતુથી * કહ્યાં છે, તે હેતુને જાણ્યો નથી, અને તે ભંગજાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પોતાના મતનો, વેષનો આગ્રહ રાખવામાં જ મુક્તિનો હેતુ માને છે. (૨૭) ત ક્રિયાજડ મતાર્થીના ધર્મતત્ત્વ સંબંધી મિથ્યા માન્યતારૂપ મતાર્થના બે પ્રકાર ભાવાથી આ ગાથામાં દર્શાવ્યા છે - (૧) દેવાદિ ગતિના પ્રકારોમાં જ શ્રુતજ્ઞાન સમાયું છે એમ સમજવું તે; તથા (૨) પોતાના મતનો તથા વેષનો આગ્રહ રાખવામાં મુક્તિનો હેતુ માનવો તે. (૧) મતાર્થી જીવને સતુશ્રુતનો યોગ થયો હોવા છતાં, તે કથનોનો પરમાર્થહેતુ સમજાયા વિના તે કલ્યાણકારી થઈ શકતાં નથી. જેમ કે ‘કર્મગ્રંથ', ‘લોકપ્રકાશ', ‘પખંડાગમ', ‘ગોમટસાર' આદિ ગ્રંથોમાં દેવ, નરક, તિર્યંચ અને મનુષ્ય એ ચાર ગતિઓના ભાંગાનાં સ્વરૂપનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ચાર ગતિઓના પ્રકાર, તેના પેટભેદો, તે પ્રત્યેક ભાંગાઓનું સ્વરૂપ - સંખ્યા, સ્થાન, સંસ્થાન, સ્થિતિ, પ્રમાણ આદિ સૂમ ભેદોનું પુષ્કળ વર્ણન આપ્યું છે. આ દેવાદિ ગતિના ભાંગાઓનું સૂક્ષ્મ વિવેચન કરવાનું પ્રયોજન જીવને પરસંયોગથી થતી કર્મકૃત દુર્દશાનું ભાન કરાવી, સંસારથી વૈરાગ્ય પમાડી, તેના કારણરૂપ વિભાવભાવોથી પાછા વાળી આત્મકલ્યાણ કરાવવાનું છે. જ્ઞાનીઓના આવા પરમાર્થહેતુને સમજ્યા વિના, તેનું રહસ્ય પામ્યા વિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy