SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન અનુષ્ઠાન જો બાહ્ય સુખ, કીર્તિ, લોકપૂજાદિની પ્રાપ્તિ અર્થે થાય તો તેમાં મલિન ભાવોની પુષ્ટિ થતી હોવાથી વિષની જેમ આવું અનુષ્ઠાન ત્યાજ્ય છે. (૨) ગર (ગરલ) અનુષ્ઠાન – જે અનુષ્ઠાનમાં ઈહલોક સંબંધી અપેક્ષા ન હોય, પરંતુ જે અનુષ્ઠાન ઇન્દ્રાદિની પદવી કે વિદ્યાધર, ચક્રવર્તી, વાસુદેવ આદિનાં પદ, દેવોનાં સુખ, અપ્સરાઓના ઉપભોગ આદિ પરલોકનાં સુખની અભિલાષાથી કરવામાં આવે તે ગરલ અનુષ્ઠાન છે. ભોજન આદિમાં ભેળવેલું વિષ મિશ્ર ભાવે હોવાથી તેને “ગર' કહેવાય છે. જેમ ગર ગ્રહણ કરવાથી પ્રાણી ધીમે ધીમે ભાન ગુમાવે છે, તેમ ગર અનુષ્ઠાનો ધીમે ધીમે આત્મભાન ભુલાવનારાં હોય છે. આમ, તેનાથી જીવનું અહિત થતું હોવાથી તે ત્યાજ્ય છે. (૩) અનનુષ્ઠાન – પ્રયોજન કે લક્ષ્ય વિના, વિચાર વિના, ગતાનુગતિકતાથી, મૂઢતાપૂર્વક, રૂઢિવશ, બેધ્યાનપણે થતું અનુષ્ઠાન અનનુષ્ઠાન કહેવાય છે. ગાડરિયા પ્રવાહની જેમ અનુષ્ઠાન થાય છે, પરંતુ તેમાં ચિત્ત પરોવાયેલું હોતું નથી. અનુષ્ઠાન સમયે વચન અને કાયા તો તેમાં જોડાયેલાં રહે છે, પણ મન બીજે જ ફરતું હોય છે. તેથી તે અનુષ્ઠાનો શુભ હોવા છતાં ઉપયોગની જાગૃતિ વિનાનાં હોવાથી તેને અનુષ્ઠાન ગણ્યાં નથી. (૪) તદ્ધતુ અનુષ્ઠાન - મોક્ષપ્રાપ્તિના હેતુને નજર સામે રાખીને કરવામાં આવતું જે અનુષ્ઠાન, તે તદ્ધતુ અનુષ્ઠાન છે. આ અનુષ્ઠાનો પૂર્ણ શુદ્ધ નથી હોતાં, છતાં પણ તેમાં મોક્ષપ્રાપ્તિની ભાવના હોવાથી પરંપરાએ મોક્ષના હેતુ થાય છે અને તેથી તે પ્રશસ્ય ગણવામાં આવે છે. તે અનુષ્ઠાનો મોક્ષને દષ્ટિસન્મુખ રાખીને કરવામાં આવતાં હોવાથી તે આદરણીય ગણાય છે. (૫) અમૃત અનુષ્ઠાન – આ અનુષ્ઠાન સર્વ પ્રકારે શ્રેષ્ઠ છે. આ અનુષ્ઠાન મન-વચનકાયાની એકાગ્રતાપૂર્વક, ઉપયોગની સાવધાનીથી કરવામાં આવે છે, તેથી તે મોક્ષને આપનાર થાય છે. તે અવશ્ય ભવપાર ઉતારે છે, અમરતાને અર્પે છે, તેથી તેને અમૃત અનુષ્ઠાન કહ્યું છે. આ અનુષ્ઠાન તત્ત્વબોધપૂર્વક શ્રદ્ધા સહિત કરવામાં આવે છે. તેમાં વસ્તુબોધ યથાસ્થિત હોવાથી, તેમજ શુદ્ધ તત્ત્વની ઓળખાણ થયેલી હોવાથી તેમાં સંવેગનો રંગ હોય છે. આ અનુષ્ઠાન ભાગ્યવંત સમ્યગ્દષ્ટિ જીવોને જ હોય છે. આ પ્રકારે અનુષ્ઠાનના પાંચ ભેદ છે. તેમાં વિષ અને ગરલ અનુષ્ઠાનમાં તો ઇહલોક કે પરલોકના સુખની ઇચ્છા હોવાથી તે અનુષ્ઠાનોને ભવાભિવંગ કહેવાય છે. આ અનુષ્ઠાન જીવની ભવ સંબંધી આસક્તિ સહિત થતાં હોવાથી તે ભવને વધારનારાં જ થાય છે, તેથી તેને ભવાભિધ્વંગ નામ આપવામાં આવ્યું છે. આ અનુષ્ઠાન કરનારનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy