SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૧૯ ભૂમિકા ગાથા - ગાથા ૧૮માં કહ્યું કે સમકિતપ્રાપ્તિમાં અવરોધક એવા માનાદિ મહાશત્રુઓ 1 પોતાની બુદ્ધિએ ચાલવાથી નાશ પામતા નથી, પણ સદ્ગુરુના આશ્રયે જતાં તે સર્વનો અલ્પ પ્રયાસે નાશ કરી શકાય છે. આમ, ગાથા ૧૫ થી ૧૮ સુધી સ્વચ્છેદાદિ દોષોની નિવૃત્તિ સદ્ગુરુના અવલંબન દ્વારા થાય છે એમ બતાવી, શ્રીમદે પરમ ઉપકારી શ્રી સદ્ગુરુના આશ્રયનું માહાભ્ય દર્શાવ્યું છે. સદ્ગુરુનો મહિમા આવો અલૌકિક હોવાથી સુશિષ્યને સદ્દગુરુ પ્રત્યે કેવો વિનયભાવ હોય છે તે બતાવતાં શ્રીમદ્ હવે કહે છે – “જે સદગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન.' (૧૯) – જે સદગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાનને પામ્યા, તે સદ્દગુરુ હજુ છદ્મસ્થ [૧] રહ્યા હોય, તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળીભગવાન છઘસ્થ એવા પોતાના ગુરુની વૈયાવચ્ચ કરે. (૧૯) કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધીનો માર્ગ શ્રી સદ્ગુરુના ઉપદેશથી ખુલ્લો થાય છે, [નાલાલતેથી જીવે શ્રી સદ્ગુરુ પ્રત્યે સર્વતોમુખી ભક્તિભાવ સહિત પ્રવર્તવામાં જ તેનું શ્રેય છે. શ્રી સદ્ગુરુનાં સ્તવન-કીર્તન-પૂજનમાં આદર, સત્કાર, બહુમાન આદિ વિવિધ ભાવો સહિત વર્તવાથી શિષ્યને પાત્રતાની વૃદ્ધિથી માંડીને અનેકવિધ કલ્યાણપરંપરાની પ્રાપ્તિ થઈ, યાવતુ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરુના સન્માર્ગદર્શક દિવ્ય ઉપદેશથી જ્ઞાનજ્યોતિ પ્રગટતી હોવાથી તેમની આજ્ઞા અનુસાર પ્રવર્તવાનો પરમ ઉપકારી વિનયમાર્ગ જ્ઞાનીપુરુષોએ બોધ્યો છે. આ ગાથામાં વિનયમાર્ગની પરાકાષ્ઠા બતાવતાં શ્રીમદ્ કહે છે કે શ્રી સદ્દગુરુના ઉપદેશ દ્વારા કોઈ જીવ કેવળજ્ઞાન પામ્યો હોય અને તે ઉપદેશ આપનાર સદ્ગુરુ હજી છબસ્થ (છ= આવરણ; 0 = સ્થિત) હોય, તો પણ કેવળજ્ઞાન જેવી ઉચ્ચ દશાને પામી ચૂકેલા તે કેવળી ભગવાન (શિષ્ય), કેવળજ્ઞાન નહીં પામેલા એવા છદ્મસ્થદશામાં વર્તતા પોતાના સદ્ગુરુનો વિનય કરવાનું ચાલુ રાખે છે. શ્રી કેવળી ભગવાને પોતાના છદ્મસ્થ ગુરુની વૈયાવચ્ચ કરી હોય એવા અનેક પ્રસંગો જિનાગમોમાં મળી આવે છે, જે વિનયમાર્ગનું માહાત્મ ઘોષિત કરી તેનું અનુસરણ કરવાની પ્રેરણા આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy