SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સર્વ અભિપ્રાયો છોડીને, પોતાની સર્વ શક્તિનો ઉપયોગ પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞા ઉપાસવામાં કરવો જોઈએ; કારણ કે અનંત કાળ પર્યંત નિજછંદે પરિશ્રમ કરે તોપણ જીવ જ્ઞાન પામી શકે નહીં, પરંતુ પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાનો આરાધક સહજમાત્રમાં અંતર્મુહૂર્તમાં જ મોક્ષગામી બને છે. સદ્ગુરુનું આવું અદ્ભુત માહાત્મ્ય હોવાથી વિચારવાન જીવોએ પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞાને અનન્ય ભક્તિ સહિત આરાધી મોક્ષપ્રાપ્તિ કરી છે. સ્વચ્છંદરૂપી મહાદોષને સર્વ દોષનું મૂળ જાણી, સૌથી પ્રથમ સર્વ પ્રયત્ન વિશેષાર્થ વડે તેને ટાળવાનો મહાપુરુષો બોધ કરે છે. સ્વચ્છંદના કારણે અનેક સાધનો કરવા છતાં પણ જીવને મોક્ષમાર્ગનું યથાર્થ દર્શન થતું નથી અને મુમુક્ષુતા ઉત્પન્ન થતી નથી. સોયમાં દોરો પરોવી દરજી સીવણકામ શરૂ કરે ત્યારે જો તે ગાંઠ મારવાનું ભૂલી જાય તો તેની બધી મહેનત નિષ્ફળ જાય છે, એમ જીવ અનેક પ્રકારે ધાર્મિક પ્રવૃત્તિ કરે પણ સ્વચ્છંદત્યાગપૂર્વકના આજ્ઞા-આરાધનની ગાંઠ જો ન વાળે તો તેનો સર્વ પુરુષાર્થ નિષ્ફળ નીવડે છે અને તેથી જીવ પરિભ્રમણ છેદવાનો અવસર ચૂકી જાય છે. વળી, પોતામાં સ્વચ્છંદ છે એવું જીવને ભાન પણ થતું નથી. તેથી આ દોષનું આવું ભયંકર સ્વરૂપ જાણી તેને છેદવાનો ઉપાય અવશ્ય કરવા યોગ્ય છે. તે દોષને ટાળવાનો અચૂક ઉપાય છે પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ, તેમની યથાર્થ ઓળખાણ અને તેમની આજ્ઞાનું સર્વાર્પણપણે આરાધન. જીવને સ્વચ્છંદમાં પડતો રોકનાર સદ્ગુરુનું શરણ લીધું હોય તો જ સન્માર્ગે ચડી શકાય છે. જીવને આ પ્રકારનો લક્ષ થાય તો જ તેને માર્ગની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ્ લખે છે કે ‘જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો; દૃઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. સૂયગડાંગસૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે : હે આયુષ્યમનો! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy