SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) પછી પણ એવી લાગણી રહે છે કે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ગાથાએ ગાથાએ સ્કુટ થતો પરમકૃપાળુદેવનો તીવ્ર પ્રજ્ઞાતિશય, તેમની પ્રથમ આધ્યાત્મિકતા, તેમનું વિલક્ષણ આત્મસામર્થ્ય..... અને આવા તો અનેક ઉચ્ચોચ્ચ ગુણોની અસીમતાને શબ્દોની સીમામાં ક્યાંથી બાંધી શકાય? તેઓશ્રીની ચૈતન્ય મસ્તી-સભર રસપ્રચુરતાને અચેતન ભાષાપ્રયોગથી ન્યાય કઈ રીતે આપી શકાય? પરમ ગહન તત્ત્વજ્ઞાન તેમજ નિશ્ચય અને વ્યવહારની અવિરુદ્ધ સંધિના ઉત્કૃષ્ટ દૃષ્ટાંતરૂપ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો સર્વાગી પરિચય આપવાના પ્રયોજનથી પ્રેરાઈને પ્રસ્તુત ગ્રંથની પ્રબંધ યોજના તબક્કાવાર ઘડાતી ગઈ અને એ સંકલનાનું અંતિમ સ્વરૂપ આ પ્રમાણે ઉદય પામ્યું છે – ખંડ-૧ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - ગ્રંથપરિચય – પ્રકરણ-૧ ગ્રંથસર્જન, પ્રકરણ-૨ ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર. ખંડ-૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - પ્રત્યેક ગાથાની સવિસ્તર સમાલોચના - પ્રકરણ-૧ ઉપોદઘાત, પ્રકરણ-૨ મતાર્થીલક્ષણ, પ્રકરણ-૩ આત્માર્થીલક્ષણ, પ્રકરણ-૪ ષપદનામકથન, પ્રકરણ-૫ પ્રથમ પદ : “આત્મા છે', પ્રકરણ-૬ દ્વિતીય પદ : “આત્મા નિત્ય છે', પ્રકરણ-૭ તૃતીય પદ : “આત્મા કર્મનો કર્તા છે', પ્રકરણ-૮ ચતુર્થ પદ : આત્મા કર્મનો ભોક્તા છે', પ્રકરણ-૯ પંચમ પદ : “મોક્ષ છે', પ્રકરણ-૧૦ ષષ્ઠમ પદ : મોક્ષનો ઉપાય છે', પ્રકરણ-૧૧ શિષ્યબોધબીજપ્રાપ્તિકથન, પ્રકરણ-૧૨ ઉપસંહાર. મૂળ શાસ્ત્ર અનુસાર આ ખંડને આ પ્રમાણે ૧૨ પ્રકરણમાં વિભક્ત કર્યું છે અને પ્રત્યેક ગાથાનું વિસ્તૃત વિવેચન આ પ્રકારે પ્રયોજ્યું છે - (૧) ભૂમિકા (શાસ્ત્રના સળંગ પ્રવાહને સમજવા માટે પૂર્વની ગાથા સાથેનો પૂર્વાપર સંબંધ), (૨) શાસ્ત્રની મૂળ ગાથા, (૩) અર્થ (પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ કરેલ ગદ્યાર્થ), (૪) ભાવાર્થ (સંક્ષિપ્ત વિવેચન), (૫) વિશેષાર્થ (ગાથા અંતર્ગત પ્રરૂપાયેલા તથા અન્ય આનુષંગિક પ્રયોજનભૂત વિષયોનું પ્રતિપાદન કરતું વિસ્તૃત વિવેચન) અને (૬) પાદપૂર્તિ. ખંડ-૩ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - એક મૂલ્યાંકન - પ્રકરણ-૧ સાહિત્યિક દૃષ્ટિએ મૂલ્યાંકન, પ્રકરણ-૨ આધ્યાત્મિક દૃષ્ટિએ મૂલ્યાંકન. ખંડ-૪ પરિશિષ્ટ - પરિશિષ્ટ-૧ પદર્શનપરિચય, પરિશિષ્ટ-૨ સંદર્ભગ્રંથસૂચિ, પરિશિષ્ટ-૩ વિષયસૂચિ. પ્રસ્તુત સંશોધનકાર્યના ઉપક્રમમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનાં સર્વ પૂર્વવિવેચનો લાભકારી થયાં છે. બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, શ્રી કાનજીસ્વામી, શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ડૉ. ભગવાનદાસ મહેતા, ડૉ. સરયુબેન મહેતા, ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy