SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ભૂમિકા ગાથા ૭માં કહ્યું કે જે જીવના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યના ભાવો ઉત્પન્ન થયા નથી તે જીવને આત્મજ્ઞાન થતું નથી અને જે જીવ સ્વરૂપનું ભાન ભૂલી, ત્યાગ-વૈરાગ્યાદિ સાધનમાં જ અટકી જાય છે તે જીવ પણ આત્માર્થ ચૂકી જાય છે. આમ, અત્યંત સરળ અને અનોખી શૈલીથી આત્મજ્ઞાનરૂપી સાધ્યમાં સાધનભૂત એવાં ત્યાગ-વૈરાગ્યાદિની મહત્તા અને મર્યાદા સમજાવી શ્રીમદે મોક્ષમાર્ગનું સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. અર્થ ગાથા આ પ્રમાણે શ્રીમદે ગાથા ૩ થી ૭ સુધીમાં એકાંત ક્રિયા અને એકાંત જ્ઞાનના આગ્રહવાળા બન્ને પક્ષના જીવોને તેમની ભૂલ બતાવી, દુરાગ્રહ છોડવાની ભલામણ કરી છે. મોક્ષમાર્ગને યથાર્થપણે નહીં સમજનારા એવા ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની મતાર્થીનું સ્વરૂપ પાંચ ગાથામાં બતાવી, તેમને યથાયોગ્ય ઉપદેશ આપી, હવે પ્રસ્તુત ગાથામાં આત્માર્થીનું સ્વરૂપ સમજાવવા ‘વિવેક’નો અથવા ‘ઔચિત્ય’નો ઉત્તમ સિદ્ધાંત પ્રતિપાદન કરતાં શ્રીમદ્ લખે છે - ‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.' (૮) ८ Jain Education International જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માર્થી પુરુષનાં લક્ષણો છે. (૮) જે જે ઠેકાણે જે જે યોગ્ય છે એટલે જ્યાં ત્યાગવૈરાગ્યાદિ યોગ્ય હોય ત્યાં ત્યાગવૈરાગ્યાદિ સમજે, જ્યાં આત્મજ્ઞાન યોગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજે, એમ જે જ્યાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં તે તે પ્રમાણે પ્રવર્તવું, એ આત્માર્થી જીવનું લક્ષણ છે. અર્થાત્ મતાર્થી હોય કે માનાર્થી હોય તે યોગ્ય માર્ગને ગ્રહણ ન કરે. અથવા ક્રિયામાં જ જેને દુરાગ્રહ થયો છે, અથવા શુષ્કજ્ઞાનના જ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાગવૈરાગ્યાદિ સાધનને અથવા આત્મજ્ઞાનને ગ્રહણ ન કરી શકે. For Private & Personal Use Only જે આત્માર્થી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે; અથવા જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે અને જ્યાં જે જે આચરવું ઘટે છે તે તે આચરે, તે આત્માર્થી કહેવાય. www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy