SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧. તદ્ધિત પ્રકરણ અધ્યાય ૬ પાદ ૧ થી ૪ અધ્યાય ૭ પાદ ૧ થી ૪ ૧૨. પ્રાકૃત વ્યાકરણ અધ્યાય ૮ પાદ ૧ થી ૪ સમગ્ર વ્યાકરણ ઉપર આચાર્યશ્રીએ પોતે જ વિસ્તારથી વૃત્તિ રચેલી છે. અને તેમણે જ રચેલી લઘુવૃત્તિની અપેક્ષાએ આ વૃત્તિ મોટી હોવાથી બ્રહવૃત્તિના નામથી પ્રસિદ્ધ છે. આ ઉપરાંત, આચાર્યશ્રીએ ત્રણ વૃત્તિઓ સંસ્કૃત વ્યાકરણ ઉપર રચેલી છે એમ સમજાય છે. એક તો લઘુવૃત્તિના નામથી સુપ્રસિદ્ધ છે કે જેના પઠન-પાઠનનો અત્યંત પ્રચાર છે. આજે આ ગ્રંથમાં આ વૃત્તિ જ પ્રકાશિત થઈ રહી છે. છ હજારી તરીકે પણ લોકોમાં આનો વ્યવહાર કરાય છે. બીજી વૃત્તિ આનાથી થોડી મોટી છે. સ્વ. આથી ક્ષમાભદ્રસૂરિજી મહારાજે એનું સંપાદન કરેલું છે. આનો અઢી અધ્યાય પુરતો ૧લો વિભાગ સુંદર અવસૂરિ સાથે છાણીથી લબ્ધિસૂરીશ્વરજૈનગ્રંથમાળામાં ૩૩માં પુસ્તક રૂપે વિક્રમસંવત્ ૨૦૦૨માં પ્રકાશિત થયો છે. તે પછીના સાત અધ્યાય સુધીનો બીજો વિભાગ શ્રુતજ્ઞાનઅમીધારા-બેડા (રાજસ્થાન) તરફથી વિક્રમ સંવત્ ૨૦૨૧માં પ્રકાશિત થયો છે. આમાં પણ ચતુષ્કવૃત્તિ (૧૪૧૧થી ૩રા૧૫૬), આખ્યાતવૃત્તિ (૩૩૧ થી ૪૪૧૨૨), કવૃત્તિ (પાલા૧ થી પા૪૦) તથા તદ્ધિતવૃત્તિ (૬૧૧ થી ૭૪૧૨૨) ના અંતે ફૈત્યવાર્યશ્રીહેમચંદ્રવિરચિંતા સિદ્ધહેમખ્વામિધાનિસ્વોપશબ્દાનુશાસનત્તવૃત્તી એવો ઉલ્લેખ મળે છે. એટલે આનો પણ હસ્તલિખિત આદર્શમાં લઘુવૃત્તિ તરીકે જ નિર્દેશ છે. આ ગ્રંથનો પ્રચાર અલ્પ છે. છતાં પ્રસિદ્ધ લઘુવૃત્તિ કરતાં મોટી હોવાથી આનો આ.શ્રી ક્ષમાભદ્રસૂરિજી મહારાજે મધ્યમવૃત્તિ તરીકે નિર્દેશ કર્યો છે, તેમ જ અત્યારે લોકોમાં એ નામથી પ્રસિદ્ધિ હોવાથી અમે પણ મધ્યમવૃત્તિ તરીકે નિર્દેશ કર્યો છે. આ ગ્રંથનો પઠન-પાઠનમાં પ્રચાર અલ્પ છે. ત્રીજી રહસ્યવૃત્તિ છે. એમાં પણ ત્યવાર્યશ્રીદેવેન્દ્રવિપવિતીય વોપર્ફોસિદ્ધહેમન્દ્રશન્વીનુશાસનપદીવૃત્તી એવો ઉલ્લેખ પુષ્મિકામાં છે. તેથી આની રચના પણ આચાર્યશ્રીએ પોતે જ કરેલી છે. વિક્રમ સંવત્ ૧૨૧૮માં આચાર્યશ્રીના સમયમાં જ લખાયેલી આની તાડપત્રીય પ્રતિ જેસલમેરના ભંડારમાં ૧. સંધિ, નામ, કારક અને સમાસ આ ચાર પ્રકરણો ચતુષ્ક શબ્દથી વિવક્ષિત છે. ૨. ચતુષ્કવૃત્તિના अंतमा इत्याचार्यश्रीहेमचन्द्राचार्यविरचिते सिद्धहेमचन्द्राभिधानलघुव्याकरणे चतुष्कवृत्तिर्लध्वी परिपूर्णा એવો ઉલ્લેખ છે. ૩. કૃવૃત્તિના અંતમાં.. રેમન્દીર્વાર્થવિવિતા નયુવૃત્તી એવો ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001123
Book TitleSiddhahem Sabdanushasana sah swopagnya San Laghuvrutti
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1994
Total Pages678
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Grammar
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy