SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કોની પટ્ટપરંપરાએ આવેલા આ શાંતિસૂરિ છે? તે સંબંધી તેમાં કે તે પ્રકરણની ટકામાં કશે ઉલેખ જાતે નથી. તપાગચ્છની પટ્ટાવળીમાં તેમના સંબંધી આ પ્રમાણે વિગત મળી આવે છે –“સંવત ૧૦૦૪ માં જીવવિચાર પ્રકરણના કત વડગચ્છના વાદિવેતાલ શાંતિસૂરિ થયાઆ વાદિવેતાલનું બિરૂદ તેઓશ્રીને લઘુભેજ રાજાએ આપ્યું હતું. ચકેશ્વરી અને પદ્માવતી દેવીની સહાયથી સં. ૧૦૯૭માં તેમણે શ્રીમાળીના ૭૦૦ ગાત્રને ધુલિકેટ પડ– વાની આગાહી જણાવી તેમનું રક્ષણ કર્યું હતું. ઉત્તરાધ્યયન સૂત્રની મોટી ટીકા ૧૮૦૦૦ લેક પ્રમાણુ તેમણે રચી છે. તે ઉત્તરાધ્યયનની પાઈઅ ટીકા કહેવાય છે. કાન્હાડ નગરમાં સંવત ૧૧૧૧માં તેમનું સ્વર્ગગમન થયું. ” ઉત્તરાધ્યયન સૂત્રની ટીકાને અંતે તેમણે પિતાને થારાપકગછીય જણાવ્યા છે, જે વડગચ્છની શાખા છે. પાલનપુર નજીકમાં રામસણ ગામમાં એક દેરાસરમાં પ્રતિમાજીના પબાસણ ઉપર ૧૦૮૪માં થારાપદ્રગચ્છના શાંતિભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે. આ ઉપરથી શાંતિસૂરિનું પૂરું નામ શાંતિભદ્ર હોય એમ સંભવે છે. કેમકે–ગચ્છ, નામ અને સમય લગભગ મળતાં છે. શાંતિસૂરિએ ધનપાલ પંડિત કૃત તિલકમંજરી ગ્રંથનું પણ સંશોધન કરેલ છે. આ ઉપરથી આ પ્રકરણ તેમણે અગ્યારમા સૈકાના અંતમાં અથવા તે બારમા સૈકાની શરૂઆતમાં રચ્યું હોય એમ જણાય છે. - આ પ્રકરણ ઉપર પાઠક રત્નાકરજીએ સં. ૧૬૧૦માં બૃહદ્રવૃત્તિ રચી છે, અને લઘુવૃત્તિ મુનિ ક્ષમાલ્યાણજીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy