SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯૩ ] અલિપ્ત પંચના રૂપમાં નથી થયા. આ સૂક્ષમ રહસ્ય સમજવા જેવું છે. કેમ કે એ કે વિદેશીય રાજ્યસત્તાના અંગરૂપ હોવાથી હકક-માલિકી-સત્તા વગેરેના પ્રવેશને તે દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો. ૪ વર્તમાન કેળવણી લેવાની પરિસ્થિતિ બેકારીમાંથી જન્મી હતી. અને કેળવાયેલાઓને નવા ધંધાઓને ટેકે મળવાથી પ્રથમના ધંધાવાળાઓની મોટી સંખ્યાને બેકાર બનાવી શકે છે. અને વિદેશીય માલની આવક તથા તેમને જરૂરી માલની જાવક વગેરેથી બન્નેય રીતે પિતાના જ ધંધા મજબૂત કરવામાં આવ્યા છે. જેથી બેકારીમાં કાયમ વધારો થતો જ રહે છે. તે પ્રજા આશ્રિતપણુથી ટેવાતી જાય છે. તેની સૂગ મટતી જાય છે. ને પ્રજાનું ખમીર તુટતું જાય છે. ૫ ધર્મક્ષેત્રમાં તન-મન-ધન ને શક્તિ ધરાવતા અટકાવી તથા બીજા પ્રાણીઓ તરફની દયામાંથી જન્મતી દાન-વૃત્તિને પણ અટકાવી માનવતાને નામે માત્ર મનુષ્યના જ પાલન તરફ માનસ કેન્દ્રિત કરવા ઉપરાંત પોતાના સંતાનનું પણ પૂરતું પાલન ન કરી શકે તેવી સ્થિતિમાં પ્રજાને મૂકતાં જઈ સંતતિ નિયમન કરવું પડે તેવી સ્થિતિ સુધી શોષણ પહોંચવા છતાં તેના તરફ કેઈને ખ્યાલ જતો નથી. જવા દેવાતો નથી. વગેરે ઘણું ઘણું ધ્યેય સફળ કરવા આવી સંસ્થાઓની જરૂર હતી. અને દરેક કરા એ ઉપરના અને તેના જેવા બીજા ઘણું ઘણું વિદેશના ભાવિ હેતુઓ અને આદર્શોને સફળ બનાવવામાં અસાધારણ સહાય કરી છે. આ માત્ર દૃષ્ટાંત રૂપે જ જૈન શ્વેતાંબર કોન્ફરન્સ વિષે માત્ર અંગુલી નિદેશ જ કરવામાં આવે છે. આવી સેંકડો નાની-મોટી સંસ્થાઓ મૂળભૂત આદર્શો, સિદ્ધાંત, સંસ્થાઓ, આગેવાનો, , હિત, સામર્યો, હક્કો વગેરેને જુદી જુદી દિશાઓથી કાપે છે, તેડે છે, નિબળ બનાવે છે, નષ્ટ કરે છે, ઉથલાવી નાખે છે, ખોટે રસ્તે દરવી જાય છે. વગેરે વગેરે કરે છે, તે યથાઘટિત રીતે સમજવું. નવસર્જન અને જુનવાણીના ઝઘડાં કરતાં વિદેશીયોના તીવ્ર સ્વાર્થીપણુને અને હિતકારી સત્યના રક્ષણને જ ઝઘડા છે. તેમાં નવજાગૃતિ રાક્ષસી અસાધારણ ભાગ ભજવી રહી છે. વિશ્વકલ્યાણકર તીર્થકરેની “સવિ જીવ કરૂં શાસન રસી” ભાવનામાંથી જન્મેલા મહા વિનિયોગરૂપ મહાશાસનના જીવંતપણુમાં કાતિલ શરૂપે કે ભયંકર વિષપ્રયોગરૂપે નવા ગણાતા તો ભાગ ભજવી રહ્યા છે. આ રહસ્ય સમજવા જેવું છે. પરિણામ આધુનિક કલ્પિત લેકશાસનના પ્રતિનિધિત્વને ધરણે આવી વિદેશમાં સ્થપાયેલી સંસ્થાઓને જૈન-શાસન અને શ્રી સંઘની પ્રતિનિધિ સંસ્થા ગણી લેવાથી તમામ મિલ્કતે, તમામ સંચાલને, આચાર્યાદિ પ્રધાન ચારેય પ્રકારના સંઘ વગેરે તેના તાબામાં આવી જાય અને તે દ્વારા સત્તાના અધિકારમાં ગોઠવાઈ જાય. ત્યારબાદ સર્વ ધર્મ પરિષદ્ વગેરે આંતરરાષ્ટ્રીય ધાર્મિક પરિવર્તન કરનારી સંસ્થાઓની દોરવણું નીચે અને છેવટે આખા જગતની ધાર્મિક પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે બનાવવાની યુનો સંસ્થા સ્થાપી રાખી છે. અને તેનું સંચાલન તથા પ્રચાર ચાલુ કરી દેવામાં આવેલ છે. પછી આવી નવી સંસ્થાઓની જરૂર પણ ન રહે. એટલે તેનું વિસર્જન થાય કે જેણે તીર્થકર પ્રભુ સ્થાપિત પરંપરાગત શ્રી શાસન અને શ્રી સંધનું વિસર્જન કરવામાં ભાગ ભજવ્યો હોય, અર્થાત દરેક વસ્તુનું વિસર્જન થતાં એક યુનસ્કે સંસ્થા જ વિશ્વવ્યાપક રહે, તે યુનકે સંસ્થાનું બળ વધારવા આ જાતની સંસ્થાઓ સ્થાપવામાં આવી છે, પછી તે કોઈ પણ પ્રકારના ધર્મભેદ કે ધર્મશાસનના For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy