SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] ૧૦ જેમ જેમ નિશાળમાં ભણુને ઉછરતી પ્રજા ઉંમરલાયક થતી જાય છે, તેમ તેમ આકર્ષક પ્રચારઃ સફળ કાર્ય પદ્ધતિઃ મોટા મોટા આદર્શો ચમકાવનારા શબ્દઃ ભાષણેઃ વગેરેથી ને આકર્ષક આયોજનો વગેરેથી ખેંચાઈને પરંપરાગત સંસ્થાઓમાં ન જતાં આમાં ભરતી થતી જાય છે, તેઓને એ માલુમ નથી હોતું કે “ વિદેશીયોના હાથ મજબૂત કરનારી અને અમારી બેસવાની જ ડાળે ભાંગનારી તેની જ છાવણીમાં અમે ભરતી થઈએ છીએ.” જુદા જુદા સ્ટેટ મારફત લાંબેકાળે તે સંસ્થાઓને મજબૂત બનાવરાવીને મૂળભૂત પરંપરાગત સ્થિર સંસ્થાઓને પણ ઉડાડી દેવાની તક આવતાં જ વર્તમાન આદર્શોનું તંત્ર તેમ કરીને તમામ સાચી વસ્તુસ્થિતિ ફેરવી નાંખી, પિતાને કબજો જમાવી લઇ, મૂળ વસ્તુને નામશેષ કરવા સુધી પહેચાડી દેવાની કોશીષ થતી હોય છે.’ આ વાતને પણ ખ્યાલ તેઓને રહી શકતો નથી. ૧૧ એમ કરી-કરાવીને પિતાની બહારની મૂળભૂત પ્રાગતિક વ્યાપક સંસ્થાઓમાં પરંપરાગત સંસ્થા; તેની મિલ્કત અને તેના સંચાલનને ગતાર્થ કરી દીધા પછી, નાની-નાની બીજી નવી નવી સંસ્થાઓની આવશ્યકતા પડતી નથી, એટલે પછી, તેનું પણ વિસજન અથવા નવી મોટી સંસ્થામાં સંક્રમણ થઈ જાય, એટલે તે તે ધર્મ કે સંપ્રદાયનું વ્યકિતત્વ અને અસ્તિત્વ જ પૂરું થાય, અર્થાત્ બંધ પડવાની સ્થિતિમાં મૂકાઈ જાય” એ ગોઠવણ હોય છે. ( ૧૨ જ્યાં સુધી તે સ્થિતિ ન આવે, ત્યાં સુધી નવા નવા વગને તેમાં દાખલ કરાતે જવાય, જેથી પ્રથમના એક વખતના અઠંગ સુધારકે ગણતા હોય, તેઓને પણ “જૂનવાણું” અને “રૂઢિચુસ્ત ” ઠરીને અથવા કંટાળીને તેમાંથી નીકળી જ જવું પડે. અથવા તે વર્ગનું સ્થાન જ ત્યાં આમૂલચૂલ કાતિ કરવાના અને આગળ ધસવાના વેગમાં ટકી શકે તેમ રહ્યું ન હોય. એટલે તેમાંથી નીકળી જ જવું પડે. ૧૩ એ જ પ્રમાણે એક વખતના અગ ક્રાંતિકારી અને આ-મૂલ-ચૂલ પરિવર્તન કરનારા પણ “ જૂનવાણું” કરતા જાય, અને નકામા કરતા જાય-નકામાં થતા જાય, તેમ તેમ છેવટે સંસ્થા; ટોચના પ્રાગતિક આદર્શવાદીઓના હાથમાં જતી જાય, ને છેવટે તેઓના હાથમાં જઈ જ પડે. ૧૪ તેને સ્પષ્ટ અર્થ એ જ થયો છે, પરંપરાગત સંસ્કૃતિરક્ષક મહાપ્રતીકેથી નવી સંસ્થા હજારઃ લાખેઃ કોશ દૂર જ ચાલી ગઈ હોય; બન્નેની વચ્ચે અજબ અંતર પડી ગયું હોય; એક પૂર્વમાં વેગબંધ દોડી જતી હોય, અને બીજી પશ્ચિમ તરફ ગબંધ દોડી જતી હોય, છતાં શબ્દોમાં ઉચ્ચારે પરંપરાગત સંસ્થાના આદર્શીના જ થતા હોય કેવી અજબ ઇન્દ્રજાળ ! કેવી અજબ ખૂબી ! ૧૫ આમ છતાં ધાર્મિક સામાજિક આર્થિક રાજ્યકીય વગેરે બાબતોના નવી સંસ્થામાં કરાવો થતા રહે, લગભગ પરંપરાગત સંસ્થાઓના પારિભાષિક શબ્દમાં. છતાં તે ઠરાવોની વાક્યરચના પરંપરાગતના હિતના વિરોધમાં અને પ્રાગતિકના હિતસાધકપણુમાં અને તેના પક્ષકારના રૂપમાં હોય, એ હોય છે. હરાવ ઘડનારા મોટે ભાગે વકીલ વર્ગના આગેવાનો એના ઘડતરમાં ઘણી કુશળતા વાપરી શકતા હોય છે. આ રહસ્ય બહુ જ સમદષ્ટિ શિવાય સમજી કે સમજાવી શકાય તેવું નથી. ભગલાની મિલ્કતને બનાવટી માલિક જગલે જ સાચે માલિક ભગલાને નામે બનીને બેસી જાય છે. ૧૬. આ રીતે મૂળને નષ્ટ કરનારી નવરચનાથી મળતા લાભોને વિરોધ કરનાર વધારે પાપી ગણુય? કે મહા અહિંસક મૂળ રચનાને ઉડાડી દેવાનું મહાપાતક કરનાર નવરચનાને ટેકો આપનાર મહાપાપી ગણાય? તેને શાન્તચિત્તે વિચાર કરવાની જરૂર નથી શું ? છે જ. મહાતીર્થંકર પ્રભુના પાંચેય અંગેને હરકત થાય, તેની મહા આશાતના થાય, તેવી વસ્તુને ટેકો આપવામાં મહાપાપ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy