SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૬ ]. ઉપર નિયંત્રણો લાવવાના માર્ગો ખુલ્લા કરવા માટે હોય છે. એમ બેવડી ગોઠવણ હોય છે. આમાં બીજા ઘણું ઘણું સૂક્ષ્મ રહસ્યો ગુંથાયેલા છે. તેથી તે પણ નવમી મહાહિંસા છે. આ પ્રમાણે માન અને ઇતર નાના-મોટા સર્વ પ્રાણીઓ ઉપર અધિકાર સ્થાપિત થયા પછી, જુદા જુદા નિમિતોથી મોટા પાયા ઉપર ગમે તેટલી હિંસા વધારવામાં આવે તે પછી, તેની વચ્ચે કોઈ પણ આવી શકે જ નહીં. માંસાહાર પૂરો પાડવા માંસ: મચ્છીઃ ઈંડા વગેરે પશુઓના અવયવોમાંથી બનાવેલા રેજના ઉપયોગી સાધને પ્રજાને અન્ન પૂરું પાડવા, ખેતીની રક્ષા માટે શિકારની છુટ આપવી: બીજા પ્રાણીજન્ય પદાર્થો દવાઓ વગેરેના વેપાર માટે-ધંધા માટે પરવાના આપવા. તેમાંથી દવાઓ બનાવવી જનસુખાકારી માટે કુતરા મારવા વગેરે માટે સંપૂર્ણ અધિકાર રહે, અને એ રીતે ગમે તેટલી હિંસા થાય, પરંતુ કોઈ ચું કે ચાં ન કરી શકે. તેવી ગોઠવણે ચાલી રહી છે. આ દશમી મહાહિંસા, 9 પ્રાગતિક રચનામાં તે સાચા અહિંસા–સંયમ–તપ-ત્યાગ વગેરેને સામાન્ય રીતે પણ સ્થાન નથી. ઉલટામાં-“મનુષ્યને સંચિતતામાંથી છોડાવવા માટેના ન્હાનાથી તે ગુણ તોડવાના” આદર્શ છે. આ સ્થિતિમાં-હિંસક બાબતે ઉપરના નિયંત્રણો પણ વાસ્તવિક રીતે, હિંસામાં બેફામ રીતે આગળ વધવામાં સહાયક રીતે ફેરવી નાંખવાના ભાવિ ઉદ્દેશપૂર્વકના હોય છે. આ અગ્યારમી મહાહિંસા છે. યાંત્રિક ધંધા વધવાથી નકામાં થયેલાં પશુઓને કતલખાને લઈ જવા સિવાય બીજો ઉપાય નથી રહેતો. તે જ પ્રમાણે પ્રગતિ પાછળ પડીને જાહેર જીવનમાં નકામાં પડનારા બેજારૂપ થનારા માનવોની પણ ભવિષ્યમાં બીજી શી દશા થવાની હશે તે તો જ્ઞાની જાણે, ભલે કદાચ થોડાઘ આશ્રય ખાતાઓથી જીવી શકે, પરંતુ એ રીતે કેટલાંકને જીવતાં રાખી શકાશે ? આભ ફાટ થીગડું ક્યાં દેવાશે? એટલે માનવી હિંસા તરફ પણ જગતની મનોવૃત્તિ ક્રમે ક્રમે નિષ્ફર બનતી જાય છે. એક જ કુટુંબમાં પરસ્પર પ્રેમ ઘટતું જાય છે. તે આ પાયા ઉપર હોવાનું જણાય છે. આ પણ એક મહાહિંસા નથી શું ? છે છતાં, આ બધું અહિંસામાં ખપાવવામાં આવે છે. “તેથી લેકેને પ્રાણીજન્ય પદાર્થોના માલ સસ્તા મળેઃ હુંડીયામણ બચેઃ દેશી માલને ઉત્તેજન અપાયઃ તેને બહાર નિકાસ કરવાથી દેશમાં ધન આવેઃ અને દેશબંધુઓની ગરીબી જાય: પશુઓને ખવરાવવાથી ખાદ્ય પદાર્થોની વધતી અછત અટકાવીને માનવાને તે આપીને તેનાથી તેઓને જીવાડી શકાયઃ માનને હરકત કરતા પશુઓ-જંતુઓ-વગેરેને નાશ કરવાથી માનવને આરામ-શાન્તિ અને સુખ આપી શકાયઃ દવાઓથી રોગે દૂર કરી શકાય: ખેતીમાં હરકત કરતાં જંગલના પશુઓને અને જંતુઓનો નાશ કરવાથી લોકોને ખાદ્ય સામગ્રી સસ્તામાં આપી શકાયઃ“વિના પ્રજને પાંદડું પણ તેડવામાં પાપ આપણું વૈદ્યક શાસ્ત્રકારોએ પણ કહ્યું છે. માટે જંગલો અને વનસ્પતિઓઃ ઉપર પણ સત્તાનું નિયંત્રણ મૂકાવું જોઈએ. આવી દલીલોથી તેમાં અહિંસા સમજાવાયઃ પાર્થિવ ખનીજે પવનઃ અગ્નિઃ વીજળીઃ પાણઃ પણ કિંમત ખરચ્યા વિના કોઇને ન મળી શકે તેવા નિયંત્રણો ગવાયઃ પંખાની ખરીદી અને વિજળીને ચાર્જ ભર્યા વિના તેમને પવન પણ ન મળી શકે. હવા ખાવાના મ્યુનિસિપાલીટીએ બાંધેલા બાગ વિગેરેની રચનામાં પણ દર વર્ષે મ્યુનિસિપાલીટીને ગમે તે દ્વારા સારો એવો કર આપ પડતો હોય અને બીજા પણ સુખાકારીના આધુનિક સાધનો રાજ્યો ઉત્પન્ન કરે, તેમાં ખર્ચ ભારતની રીતે નહીં પણ આધુનિક રીતે કરવા માટે પ્રજાએ મોટા પ્રમાણમાં કરો આપવા જ પડેઃ “કેટલાક વ્યાપારો હાથ કરીને પણ ઘણું ધન પ્રાપ્ત કરી લેકની સુખાકારી વધારવી. પરંતુ તેથી લેકેના ધંધા જાય અને હિંસા થાય તેને વિચાર કરવાને નહીં. કેમકે-“મજુરો માટે દેશી-પરદેશી મૂડીના આધાર ઉપર કારખાના ખેલવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy