SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનકને વિષે અપબહુત્વ કહે છે, તિહાં પ્રથમ ગતિ ૪ માહે સર્વથી થોડા મનુષ્ય છે તે કેમ? મનુષ્ય બે ભેદે છે –૧ સમૂચ્છિમ અને ૨ ગર્ભજ. તેમાં સમૂર્ણિમ તે ગર્ભજ મનુષ્યને મળ, મૂત્ર, શુક, શાણિત માંસ, પરૂ અને કલેવર વગેરે, અપવિત્ર ૧૪ સ્થાનકને વિષે ઉપજે છે, તે અંતર્મુહૂર્ત આયુવાળા છે અને ચર્મચક્ષુએ દેખાતા નથી. તેને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટપણે ૨૪ મુહૂર્ત ઉપજવા-વ્યવવાને વિરહકાળ હોય અને તે અંતર્મુહૂર્ત નિર્લેપ થાય તે માટે સમૂર્ણિમ મનુષ્ય કોઈ વખત હોય પણ ખરા અને કઈ વખતે ન પણ હોય અને ગર્ભજ મનુષ્ય તો સદૈવ હેયજ. તે સંખ્યાતાજ હોય જ પણ અસંખ્યાતા ન હોય. તિહાં સંખ્યાતાના સંખ્યાતા ભેદ છે, તે માટે મનુષ્ય કેટલા છે ? તેનું વિવેચન કહે છે, જે કઈક રાશિને તેજ રાશિ સાથે ગુણિએ તે વર્ગ કહીએ, તિહાં એકને તે વર્ગ ન હોય એકન ગુણિત તદેવ ઈતિવચનાત તે માટે બે વર્ગ ચાર, એ પહેલે વર્ગ ચારને વર્ગ૧૬એ બીજે વર્ગ, સાળને વર્ગ ૨૫૬ એ ત્રીજે વર્ગ અને વર્ગ, ૬૫૫૩૬ એ થે વર્ગ, એને વર્ગ ૪ર૯૪૬૭૨૯૬ એ પાંચમે વર્ગ, એને વર્ગ ૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૫૫૧૬૧૬ એ છઠ્ઠો વર્ગ છઠ્ઠો વગે પંચમવપડુપનેઇતિ પ્રજ્ઞાપના વચનાત્ માટે છઠ્ઠો વર્ગ તે પાંચમા વર્ગ સાથે ગુણીએ 6 ત્યારે ૭, ૯૨, ૨૮, ૧, ૨, ૫૧, ૪૨, ૬, ૪૩, ૩૭, ૫૯, ૩, ૫૪, ૩૯, ૨૦, ૩,૩૬થયા. એ અંક બોલવાની યુક્તિ પ્રાચીન રીતે આ પ્રમાણે છે-સાત કેડીકેડી કોડી, બાણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy