SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ પરનું લબ્ધિપ્રત્યય વૈક્રિયા શરીર હોય છે, તે અપેક્ષાએ વૈક્રિયદ્ધિક સહિત કરતાં ૧૦૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. પૂર્વોક્ત એકસો સાત પ્રકૃતિમાંથી સમ્યક – અને મિશ્રમેહનીય–એ બે પ્રકૃતિઓ બાદ કરતાં મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૫ પ્રકૃતિઓ હોય છે, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આપનામ અને મિથ્યાત્વમોહનીય એ પાંચ પ્રકૃતિ સિવાય સાસ્વાદને સો પ્રકૃતિ હોય છે. તેમાં અનાનુબલ્પિચતુષ્ક, સ્થાવરનામ, એકેન્દ્રિયાદિજાતિચતુષ્ક અને તિર્યંચાનપૂવ -એ દશ પ્રકૃતિઓ બાદ કરતાં અને મિશ્રમેહનીય સહિત કરતાં મિશ્રગુણસ્થાનકે એકાણું પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી મિશ્રમેહનીય હીન કરતાં અને સમ્યકત્વમેહનીય અને તિર્યંચાનુપૂર્વીએ બે પ્રકૃતિઓ જોડતાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૯૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે; અપ્રત્યાખ્યાનાવરણ ચાર, દુર્ભગ. અનાદેય, અયશ અને તિર્યંચાનુપૂવ–એ આઠ પ્રકૃતિએ સિવાય દેશવિરતિ ગુણસ્થાનકે ૮૪ પ્રકૃતિ ઉદયમાં હો છે, અહિં સર્વત્ર લબ્ધપ્રત્યય વૈક્રિય શરીરની વિવક્ષા કરી નથી, એટલે એ બે પ્રકૃતિ બધે ઓછી જાણવી. - રૂ મ7 . અહિં ચૌદ ગુણસ્થાનકો હેય છે. દેવત્રિક, નરકત્રિક, વૈક્રિયદ્રિક, જાતિચતુષ્ક, તિર્યચત્રિક, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ–એ વીશ પ્રકૃતિઓને ઉદય મનુષ્યને ભવપ્રત્યયે હોતો નથી. માટે તેને બાદ કરતાં ઓઘે ૧૦૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. પરંતુ લધ્વનિમિત્તક વૈક્રિય શરીરની અપેક્ષાએ ઉત્તરવૈક્રિયશરીર કરતાં વૈક્રિયદ્ધિક અને ઉદ્યોત નામને ઉદય હોવાથી ને ત્રણ પ્રકૃતિઓ સહિત ૧૦૫ પ્રકૃતિ સામાન્યતઃ ઉદયમાં હોય છે. તેમાં મિથ્યાત્વગુણસ્થાનકે આહારદ્વિજ, જિનનામ, સમ્યકત્વ અને મિકાહનીય એ પાંચ પ્રકૃતિઓને ઉદય નહિ હોવાથી તેને બાદ કરતાં ૯૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. અપર્યાપ્ત નામ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy