SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ષ્ટ્ર સોળ કપાય, હાસ્યાદિષક, નપુંસકવેદ, સમ્યકત્વ મેહનીય ને મિશ્રમેહનીય એ છોતેર પ્રકૃતિ આઘે સામાન્યતઃ નારકોને ઉદયમાં હોય છે તેમાં સત્યાદ્ધિત્રિકને ઉદય વૈક્રિયશરીરી દેવો અને નારકોને પંચસંગ્રહ અને કર્મપ્રકૃતિને મત હોતો નથી. કહ્યું છે કે-“અસંખ્ય વર્ષના આયુષવાળા મનુષ્ય, તિર્યંચ, વૈજય શરીરવાળા, આહારક શરીરવાળા અને અપ્રમત્ત સાધુ સિવાય બાકીનાને ત્યાનદ્ધિ ત્રિકનો ઉદય અને ઉદીરણા હોય છે.' હવે ઓધે ઉદયવતી ૭૬ પ્રકૃતિમાંથી સમ્યકત્વમેહનીય અને મિશ્રમોહનીય બાદ કરતાં મિથ્યાત્વગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. નરકાનપુવા અને મિથ્યાત્વ મેહનીય સિવાય ૭૨ પ્રકૃતિઓ સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે, તેમાંથી અનતાનુબલ્પિચતુષ્ક બાદ કરતાં અને મિશ્ર મેહનીય સહિત કરતાં મિશ્ર ગુણસ્થાનકે ૬૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી મિશ્રમેહનીય બાદ કરતાં અને સમ્યકત્વમોહનીય તથા નરકાનુપૂર્વી પ્રક્ષેપ કરતાં અવિરતિસમ્યગુદષ્ટિગુણસ્થાનકે સિત્તર પ્રવૃતિઓ ઉદયમાં હોય છે. ૨ તિર્થ રાતિ. આ માર્ગણામાં પાંચ ગુણસ્થાનક છે. અહિં દેવત્રિક, નરકત્રિક, શૈક્રિયદ્રિક, મનુષ્પત્રિક, ઉચ્ચગોત્ર, આહારકદ્ધિક અને જિનનામ એ પંદર પ્રકૃતિનો ઉદય હોતો નથી. માટે ઉદયવતી ૧૨૨ પ્રકૃતિઓમાંથી એ પંદર પ્રકૃતિઓ બાદ કરતાં ઓઘે ૧૦૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તિર્યંચોને ભવધારણીય વૈકિયશરીર હોતું નથી, ૧ જુઓ કર્મ પ્રકૃતિ ઉદીરણાકરણ ગા. ૧૯ “સંખ્યાતા વર્ષના આયુષવાળા કર્મભૂમિ જ મનુષ્ય અને તિર્યચને ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી ત્યાનગૃદ્ધિાંત્રિક ઉદયમાં આવવા યોગ્ય છે. તેમાં પણ આહારક લબ્ધિવાળાને અને વૈક્રિયલબ્ધિવાળાને તેને ઉદય હોતું નથી.” જુઓ–ગોમટ્ટસાર કર્મકાંડ ગા. ૨૮૫. નૃ. ક. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy