SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદિ ગુણસ્થાનકે કર્મ સ્તવની જેમ બન્ધ કહે. કારણ કે “મનુષ્ય સિવાય બીજા જીવોને તે ગુણસ્થાનકો હોતાં નથી. જિનાદિક નરકત્રિક લગે અગ્યાર” જિનનામ, દેવદ્રિક, વૈક્રિયદ્રિક, આહારદ્ધિક, દેવાયુષ અને નરકત્રિક એ જિનનામાદિ અગ્યાર પ્રકૃતિઓ ૧૨૦માંથી બાદ કરતાં ૧૦૯ પ્રકૃતિઓ અપર્યાપ્ત તિર્યંચ અને મનુષ્ય ઘે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે બાંધે. તેને એક મિથ્યાત્વ ગુણસ્થાનક જ છે. મિથ્યાદષ્ટિ હોવાથી જિનનામ અને આહારકટ્રિક -ને બાંધે. મરીને દેવગતિમાં જતા નથી માટે દેવત્રિક અને વૈક્રિયદિક - ન બાંધે. નરકગતિમાં ન ઉપજે માટે નરકત્રિક ન બાંધે, અહીં મનુષ્ય અને તિર્યંચ લબ્ધિઅપર્યાપ્ત ગ્રહણ કરવા. - ગાથા ૧૧ “નારકીની પેરે દેવતાને બંધ કહેવો” જેમ નારકો મરીને નરગતિ અને દેવગતિમાં ઉપજતા નથી તેમ દેવ મરીને એ બન્ને ગતિમાં ઉત્પન્ન થતા નથી. તેથી દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિયદ્રિક એ આઠ પ્રકૃતિઓ ન બાંધે; અને સર્વવિરતિના અભાવે આહારકટ્રિક પણ ન બાધે. તથા દેવ મરીને સૂક્ષ્મ એકેન્દ્રિય અને વિલેન્દ્રિયમાં ન ઉપજે તેથી સૂમત્રિક અને વિકલત્રિક એ છે પ્રકૃતિ ન બંધાય. એમ કુલ સોળ પ્રકૃતિઓ ઘબંધમાંથી જાય એટલે એથે ૧૦૪ પ્રકૃતિઓ બાંધે. દેવતા બાદ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે માટે એકેન્દ્રિય, સ્થાવર અને આતપ એ ત્રણ પ્રકૃતિ નારકી કરતાં વધારે બાંધે. “મિથ્યાત્વે ૧૦૩” જિનનામ રહિત. “સાસ્વાદને ૯૬” એકેન્દ્રિય જાતિ આદિ સાત પ્રકૃતિઓ મિથ્યાત્વને ઉદયે બંધાય છે માટે તેને બંધવિચ્છેદ થતાં ૯૬. મિશ્ર ૭૦” અનતાનુબધિ આદિ ૨૬ પ્રકૃતિએને બંધવિચ્છેદ જતાં ૯૬માંથી તે બાદ કરતાં ૭૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy