SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ “મનુષ્યતિક ભવાનરે ઉદય આવે” સાતમી નારકીને જવ મનુષ આયુષ્ય બાંધતો નથી. અને તેના અભાવમાં ત્રીજે–ચોથે ગુણસ્થાનકે મનુષ્યદ્દિક બાંધે છે. એટલે કે મનુષ્યદ્દિકનો મનુષ્ય આયુષ્ય - સાથે પ્રતિબન્ધ નથી. મનુષ્ય આયુષ્ય સિવાય પણ ૩-૪ ગુણસ્થાનકે મનુષ્યદ્દિક બંધાય છે તે ભવાન્તરમાં ઉદયે આવે છે. ગાથા ૮ “એકસો એક બંધાય” નરકત્રિક, જાતિચતુષ્ક - સ્થાવરચનુષ્ક, હુંડક સંસ્થાન, છેવટું સંઘયણ, આપનામ, નપું સકવેદ અને મિથ્યાત્વ એ સોળ પ્રકૃતિ મિથ્યાત્વના ઉદયે બંધાય છે. - અહિં તેને ઉદય ન હોવાથી આ સિવાય ૧૦૧ બંધાય. દેવાયુ.મિશ્રગુણઠાણે બાંધે” સાબિછવિટ્ટી નારંવં પિ વરૂ મિશ્રદ્રષ્ટિગુણસ્થાનકે તદ્યોગ્ય અધ્યવસાયનો અભાવ હોવાથી - આયુષ્ય બંધ કરતો નથી. આ વચનથી અહીં દેવ–આયુષ્ય અને મનુષ્ય આયુષ્યને અબંધ છે. તથા અનંતાનુબલ્પિચતુષ્ઠ આદિ ૨૫ 'પ્રકૃતિઓનો બન્ધ અનંતાનુબન્ધિ કષાય નિમિત્તક હોવાથી સાસ્વાદને જ બંધાય છે. અહીં બંધાતી નથી, તથા નરાિક, દારિકેદિક અને પ્રથમ સંઘયણ એ છ પ્રકૃતિઓ મનુષ્ય પ્રાયોગ્ય છે. અને મનુષ્ય તથા નિચે ત્રીજા ગુણસ્થાનકથી અવિરત સમ્યગદદિની જેમ દેવપ્રાયોગ્ય બાંધે છે, માટે મનુષ્ય પ્રાયોગ્ય એ છ પ્રકૃતિઓ અહીં બંધાતી નથી. - “દેશવિરનિ ગુણઠાણે છાસઠ બાંધે,” અપ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયનો બંધ પાંચમે ગુણઠાણે અને તેથી આગળ નથી તેનું કારણ એ છે કે તે તે પ્રકારના કપાયનો ઉદય તે તે પ્રકારના કપાયના બન્ધનું કારણ છે, અહીં અપ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ઉદય નથી માટે અહીં તે પણ બંધાતા નથી. આ કષાયનો ઉદય પહેલા ચાર ગુણસ્થાનક સુધી હોય છે. માટે ત્યાં સુધીજ બંધાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy