SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ભેદો બનાવવાની જરૂર રહેતી નથી. અપેક્ષાએ જોકે મિથ્યાસાકારપયોગને કારણરૂપ નિરાકારોપયોગ મિથ્યા કહી શકાય. પરંતુ તે નાની જ વસ્તુ છે. એટલે તેની વિવક્ષા ન કરીએ, તો તેના ભેદો ગણાય નહી. સમ્યગદ્રષ્ટિને ઇયિાદિકની વિકલતાને લીધે કોઈપણ વસ્તુ સંબંધિ ભ્રમ થાય, તો તે જ્ઞાનના પેટામાં સમાયેલા સમજવા. એટલે ખરી રીતે જ્ઞાન, અજ્ઞાન અને દર્શનની વ્યવસ્થા આધીન જણાય છે. જ્ઞાન તે ચૈતન્યશક્તિરૂપે પાંચ જ હોઈ શકે છે. તેમાં નાતો દશન, નતો અજ્ઞાન હોય છે, એમ સમજાય છે. મતિજ્ઞાનના કે અવધિજ્ઞાનનો ઉપયોગ જે કોઈ પદાર્થ વિષે સાકારો પગ પ્રવર્તે, ત્યારે તેની સાથેના બીજા પદાર્થો વિષે કે પહેલા જાણેલા તે પદાર્થો વિષે પણ નિરાકારોપયોગ તે વખતે જ પ્રવર્તે છે, તે અનુભવસિદ્ધ છે. અને જેનો નિરાકારોપયોગ પ્રવર્યો છે, તેને જ વળી કોઈ વખતે વધારે જ્ઞાનવાનનું વધારે ધ્યાન ખેંચાય તો સાકારોપયોગ પ્રવર્તે છે. અર્થાત સાકારોપયોગ અને નિરાકારો યોગ એ એકજ જ્ઞાનની બે અવસ્થાઓ છે, એટલે ઉપચારથી નિરાકારોપયોગમાં વ્યાકૃતજ્ઞાનમાત્રાનું નામ દર્શનલબ્ધિ-શક્તિ કહેવાય છે, અને સાકારોપયોગમાં વ્યાપૃત જ્ઞાનાંશનું નામ જ્ઞાનલબ્ધિ-શક્તિ કહેવામાં આવે છે, અને જેને સા કારોપયોગ મિથ્યાત્વોદયસહકૃત હોય છે, તે અજ્ઞાન કહેવાય છે. તેની જ જ્ઞાનલબ્ધિને પણ ઉપચારથી અજ્ઞાન કહેવામાં હરકત નથી. અને સૂકમાર્થની વિવલાએ તેના નિરાકારોપગને પણ અદર્શન–મિથ્યાત્વ સહકૃતિદર્શન કહેવામાં હરકત નથી. આ દષ્ટિથી તરવાર્યાધિગમ સૂત્રના ભાગ્યમાં “નયાન્તરની અપેક્ષાએ જ્ઞસ્વાભાવ્યાત કેઈ પણ જીવ અજ્ઞાન નથી જ.” એમ કહ્યું છે, તે રૌતન્ય સ્વરૂપ જ્ઞાનમાત્રાની અપેક્ષાએ. એટલે-જ્ઞાન, અજ્ઞાન, દર્શન, સાકાર, અનાકાર, વિશેષ પ્રાહિમ ત્વ, સામાન્ય પ્રાહિતવ વિગેરે ભેદો ઉપયોગની અપેક્ષાએ જણાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy