SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ અને જ્યારે જ્ઞાનશક્તિને ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે પદાર્થમાં રહેલા વિશેષ ધર્મનું જ્ઞાન થાય છે, એટલે “અમુક જ પદાર્થ જાણવામાં આવ્યો” એવો આકાર થયેલા જ્ઞાનને ગોઠવી શકાય છે માટે તે સાકારે પગ- વિશેષેપગ– જ્ઞાનયોગ કહેવાય છે. સૂક્ષ્મ વિચાર કરી લેતાં-દર્શન અને શાન બનેય આત્માની જ્ઞાનસ્વરૂપ ચેતનાશક્તિ છે. પરંતુ ઉપયોગ પ્રવર્તતી વખતે એ જ્ઞાનસ્વરૂપ ચેતનાશક્તિનાજ ભેદે, અવસ્થાભેદે બે પ્રકાર પડી જતા હોવાથી અમુક અવસ્થાનું નામ દર્શન, કે નિરાકારે પગ અને અમુક અવસ્થાનું નામ-જ્ઞાન–સાકારે પગ–એમ વ્યવસ્થા કરવામાં આવેલ હોય, તેમ જણાય છે. એટલે કે દર્શન અને જ્ઞાનનું સ્વરૂપ શાસ્ત્રકારોએ પરસ્પર ભિન્ન અને અભિન્ન કેવી રીતે બતાવ્યું છે ? તે વિશેનો વિશેષ વિચાર આગળ ઉપર પાંચ જ્ઞાનનું સ્વરૂપ સમજાવતી વખતે કરીશું. - ઉદય-વિનાશ-ઉચગોત્ર પામેલા જીવને પ્રાયઃ દાનાન્તરયાદિક અંતરાય કમને ક્ષયોપશમ વધારે હોવાથી દાનગુણ: લાભપ્રાપ્તિ, વિગેરે વધારે કરી શકે છે, એ અપેક્ષાએ દાનાદિ ગુણને ઉદય સમજવાને છે અને નીચ ગોત્ર પામેલા જીવને ક્ષોપશમ ઓછો હોય, અને અંતરાય કર્મોને ઉદય વધારે હોય, તે દાનગુણ, લાભપ્રાપ્તિ ઓચ્છા કરી શકે છે. તે અપેક્ષાએ અહીં વિનાશ લે. ગાથા ૪ થી શબ્દાથે–ચારેય તરફથી ચેકસ બેધ: તે અભિનિબોધ પાંચ નાન અથવા આભિનિબેધિક જે કે આ કમવિપાક નામના પહેલા કમગ્રંથમાં ૧૫૮ કર્મપ્રકૃતિઓની અસરે શી શી થાય ? તે સમજાવવાનું મુખ્ય કાય છે. તે સમજાવતી વખતે પાંચ જ્ઞાનાવરણીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy