SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ પરંતુ અહીં તે વાક્યમાં “જે” કમ મૂકેલું છે. માટે “” ધાતુથી કર્મણિ અર્થમાં પ્રયત્ન કર્યો છે. એમ સ્પષ્ટ થાય છે. ત્યારે જે એ કરાય ક્રિયાપદનું કમપદ છે. જે કરાય, તે કમ. માટે કરાય–બનાવાય, તે કર્મ કહેવાય છે. વ્યાકરણમાં કમપદની સામાન્ય વ્યાખ્યા એ પ્રમાણે આપી છે, કેટ-કર્તાએ કરેલી ક્રિયાથી ઉત્પન્ન થયેલ ફળ જેમાં હોય, કે જેને લાગુ પડતું હોય, તે કર્મ કહેવાય. અને કર્મને સૂચવનારાં પદ, તે કમપદ કહેવાય. “ આ ભાત રાંધે છે.” ચૂલે સળગા-. વ, તપેલી ચડાવવી, વિગેરે રાંધવાની ક્રિયા છે. તેથી ચોખામાં પિચાશ આવવા રૂપ ફળ ઉત્પન્ન થયું. તે ચેખામાં એટલે ભાતમાં હોય છે. તેથી સાક્ષાત્ ભાતઃ એ રાંધવાની ક્રિયાનું કામ છે. અને તેને સૂચવનારા આ વાકયમાં ભાત પદ છે. માટે તે કર્મપદ કહેવાય છે. તે જ પ્રમાણે કાગળમાં કાપા પાડવાનું ફળ ઉત્પન્ન થાય છે માટે કાગળ કમ છે. અને તે સૂચવનારું પદ કાગળ કર્મપદ છે. એજ પ્રમાણે-આચાર્ય મહારાજનું પણ કહેવું એમ છે કે “કામણગણાના પુદગલે ઉપર છવ પિતાને કરવાની એવી ક્રિયા કરે છે, કે જેથી કરીને તેમાં આત્મા સાથે ચટવાની લાયકાત રૂપ ફળ ઉત્પન્ન થાય છે. માટે આત્મા સાથે ચેટતી તે કામણગણામાં જ્યારે આત્મા સાથે સંયોગ થવા રૂપ ફળ ઉત્પન્ન થાય, ત્યારે તે પણ કર્મ કહેવાય છે, એટલે જીવ કર્તા છે. ચૂંટેલી સંયુકત કામPવણું કમ છે. સંયોગ ફળ છે, મિથ્યાત્વાદિ હેતુઓ છે. પિતાની સાથે જોડવાનો પ્રયત્ન-ત્રણ યોગરૂપ જીવની ક્રિયા છે. આ પ્રમાણે વ્યાકરણમાં જેમ કર્તાના પ્રયત્નના ફળના આધારભૂત પદાર્થ સૂચવનારા નામને માટે કર્મ શબ્દ વપરાય છે. તે પ્રમાણે આત્મા સાથે સંબંધ પામતી કામણગણું પણ કમ છેકેમકે વ્યાકરણ ના કર્મની વ્યાખ્યા આને પણ લાગુ પડે છે. માટે તેને પણ કર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy