SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ - નાક “મને શ્રી મહાવીર શબ્દ લખવાનું ગુરુએ કહેલ છે.” એટલે તરત જ આપણે હાથ પાટી પેન પકડી તેના ઉપર ગોઠવાઈને શ્રી મહાવીર શબ્દ પેનવતી લખી નાંખે છે. અને આપણું આંખ તે જોઈને તરત નકકી પણ કરી કાઢે છે, કે “હા. બરાબર છે, ગુરુજીએ શ્રી મહાવીર શબ્દ લખવાને કહ્યો, તે પ્રમાણે શ્રી મહાવીર શબ્દ જ લખાય છે. ખૂબી તે એ છે કે–ગુરૂ બેલે છે ને તરત જ આપણે લખી લઈએ છીએ, હેજ પણ વાર થતી હોય તેમ આપણને લાગતું નથી. એટલા બધા ટુંકામાં ટુંકા વખતમાં–કાન, હાથ, આંખ, મન શરીર, અને તેની સાથે જોડાયેલું ચેતનાતત્ત્વ વિગેરે કેટલી બધી ઝષથી પિતાપિતાનું કામ કરી વળે છે. જે વિચારતાં આપણને આશ્ચર્ય થાય તેમ છે. આ બધું કામ કેવી રીતે થાય છે? તે બાબત શાસ્ત્રકારોએ ઘણી જ ઝીણવટથી આપણને સમજાવ્યું છે. તે કામ નીચે પ્રમાણે થાય છે. ૧ શ્રી મહાવીર શબ્દને ઉચ્ચાર કરતાની સાથે જ, શ્રી છે મહાવીર એવો ઉચ્ચાર થઈ શકે તેવા આકારે ગેઠવાયેલા ભાષા વગણના સ્કન્ધ આપણા કાનમાં પેસે છે. ૨ કોઈપણ શબ્દ જાણવાની શક્તિ કાનમાં જ છે એટલે કે આપણા કાનમાં અમુક ઠેકાણે ઈદ્રિયના અણુઓની એક એવી ગોઠવણ છે, કે–તે ઠેકાણે શબ્દના બે સ્પર્શ કરે, કે-તુરત તેની સાથે જોડાયેલા સુક્ષ્મ જ્ઞાનતંતુઓ મારફત આપણું મગજમાં તેની અસર પહોંચે છે. ૩ મગજમાં અસર પહોંચતાની સાથે જ તેની સાથે જોડાયેલ મને આત્મા સાથે જોડાયેલું હોય છે. એટલે મન મારત તે અસર આત્મામાં પહોંચે છે. આત્મામાં જાણવાની શકિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy