SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ–પ્રદીપક કર્મનું સ્વરૂપ :– ૧ આપણને ઉંઘ આવે, તે આપણું આખુંયે શરીર સુઈ જાય છે. વનવગડામાં આપણી સામે વાઘ આવે, તે આપણું આખુયે શરીર હાસી જવા પ્રયાસ કરે છે. એ પ્રસંગે આપણું આખું શરીર કામ કરે છે. ૨ આપણે કયાંય જવું હોય, તે આપણું પગ ઉપયોગમાં આવે છે, પગ ન હોય તે જઈ શકાય નહીં. અને કાંઈ પકડવું હોય તે હાથ કામમાં આવે છે. હાથ ન હોય, તે આખું શરીર હોવા છતાં કાંઈ પકડી શકાય નહીં. ૩ તેજ પ્રમાણે-જોવામાં આંખો જ, સુંધવામાં નાકજ, સ્પર્શ કરવામાં ચામડી જ, સાંભળવામાં કાન જ, ચાખવામાં જીભ જ અને વિચાર કરવામાં મન જ કામ કરે છે. એટલે કેઈ કામમાં આખા શરીરને અને કોઈ કામમાં તેના અમુક કે એકાદ અવયવને ઉપયોગ કરવો પડે છે. ૪ પરંતુ, ગુરુ આપણને પત્થર પાટી ઉપર શ્રી મહાવીર લખ. વાનું કહેવું કે તરત જ તમે પાટી-ઉપર–શ્રી મહાવીર-એ શબ્દ લખી નાખે છે, તેનું કારણ વિચારશે, તે પ્રથમ-ગુરુ શ્રી મહાવીર–એ શબ્દ બોલે છે. અને તે આપણે કાન સાંભળે છે. સાંભળતાંજ આપણા મનમાં થયું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy