SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર - પરીષહ સહન કરવાને અભ્યાસ કરવાથી આત્મામાં વિશિષ્ટ સામર્થ્ય આવે છે. એ સામર્થ્યના બળે આત્મા મેરુની જેમ સ્થિર રહી સમાધિ પૂર્વક પરિષહે સહન કરીને વિપુલ કર્મોની નિર્જરા કરે છે. જે પરિષહ સહન કરવાને અભ્યાસ ન કરવામાં આવે તે પરિષહે આવતાં મન આકુળ-વ્યાકુળ બની જાય છે. પરિણામે નિર્જરા તે દૂર રહી, બલ્ક સમ્યગ્દર્શન આદિ મેક્ષમાર્ગ થી પતિત થવાને વખત પણ આવે છે. આથી સંવર પણ થતું નથી. [૮] પરિષહેસુત-પિત્તાશીતો-કામરાવ-નાન્યાડતિ-સ્ત્રવય-નિષદ્યા-રા-ડોરા-વધ-પાવના-ડછામ-તેમ રૂપાઘ-મ-સાર-પ્રજ્ઞા-જ્ઞાના-ડર્શનાનિ ૧-II ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્ચા, નિષધા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણુ સ્પ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદશન એમ ૨૨ પરિષહે છે. પરિષહાને બરાબર સમજવા પરિવહનું સ્વરૂપ, પરિષહ જય( =શું કરવાથી પરિષહ જ કહેવાય) અને પરિષહ અજ્ય શું કરવાથી પરિષહ ન છતાય) એ ત્રણ બાબતે બરાબર સમજવી જોઈએ. - ઉક્ત ત્રણ બાબતેની સામાન્ય વ્યાખ્યાઃ-(૧) વિશિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy