SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ પાપના સાતમે અધ્યાય ૪૬૫ દુપ્રણિધાન, અનાદર અને ઋત્યનુપસ્થાપન એ પાંચ સામાયિક વ્રતના અતિચારે છે. (૧) મગ દુપ્રણિધાન-નિરર્થક કે પાપના વિચાર કરવા. (૨) વચનયોગ દુપ્પણિધાન-નિરર્થક કે પાપનાં વચનો બોલવાં. ૧. આ અતિચારથી બચવા સામાયિકમાં મનના દશ દોષોને ત્યાગ કરવો. દશ દોષો આ પ્રમાણે છે-(૧) અવિવેક. સામાયિકના વાસ્તવિક સ્વરૂપને ન જાણવાથી આવી ક્રિયાથી શું ફળ મળે ? ઈત્યાદિ સામાયિકના ફળ સંબંધી કુવિકલ્પ કરવા. (૨) યશવછા. બીજઓ પિતાની પ્રશંસા કરશે એવી ઈચ્છાથી સામાયિક કરવું. (૩) ધનવાંછા.ધનની (પ્રભાવના વગેરેની) ઈચ્છાથી સામાયિક કરવું, (૪) ગર્વ. સામાયિક કરીને ધમાં તરીકેને અહંકાર કરવો. (૫) ભમ. જો હું સામાયિક નહિ કરું તો અમુક તરફથી ઠપકો મળશે કે અમુક મારી નિંદા કરશે, હું હલકો દેખાઈશ વગેરે ભયથી સામયિક કરવું. (૬) નિદાન. સામાયિકના ફળ રૂપે આલોક પરલેકના સુખની ઇચ્છા રાખવી. (૭) સંશય. સામાયિકનું ફળ મળશે કે નહિ એમ સામાયિકના ફળ વિશે સંશય રાખવો. (૮) કષાય. ક્રોધથી આવેશમાં આવીને સામાયિક કરવું કે સામાયિકમાં ક્રોધ કરવો. (૯) અવિનય. વિનય રહિત સામાયિક કરવું. (૧૦) અબહુમાન. બહુમાન વિના કે ઉત્સાહ વિના સામાયિક કરવું. ૨. આ અતિચારથી બચવા સામાયિકમાં દશવચનના દોષનો ત્યાગ કરવો જોઈએ. દસ દે નીચે મુજબ છે – (૧) કુવચન. કેઈનું અપમાન આદિ થાય તેવા કુવચને બોલવા (૨) સહસાકાર. સહસા અયોગ્ય વચને બોલવાં (૩) અચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy