SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ શ્રી તત્ત્વાર્થાધિંગમ સૂત્ર તદુલ મસ્ય વિચારે છે કે હું મહામત્સ્ય હાઉ” તે એક પણુ સાલાને આવી રીતે નીકળવા ન દઉં, સઘળાં માછલાઓનુ ભક્ષણ કરી જાઉં. આવા દારુણ હિંસાના અધ્યવસાયથી તે સતત ભાવ હિંસા કર્યાં કરે છે, અને માત્ર અંતર્મુહૂત જેટલા આયુષ્યમાં સાતમી નરકનું આયુષ્ય માંધે છે. હજી સૂક્ષ્મ દૃષ્ટિથી ભાવ હિંસાને વિચારીએ. હિંસા માટે કાયાથી. પ્રયત્ન ન કરે, વચનથી મેલે નહિં અને મનમાં વિચારણા ન કરે તેા પણ જો આત્મામાં જીવરક્ષાના પરિણામ ન હાય તા ભાવ હિંસા થાય છે. આથી જીવરક્ષાના પરિણામ રહિત સર્વ જીવે સદા ભાવ હિંસાનું પાપ આંધે છે. (૨) રક્ષાના પરિણામથી રહિત જીવ જ્યારે પ્રાણવધ કરે છે ત્યારે દ્રવ્ય-ભાવ હિં'સા કરે છે. ગૃહસ્થાવાસમાં રહેલ જે સાધક હિંસાની સૂક્ષ્મ વ્યાખ્યા સમજે છે અને હિંસાથી સથા નિવૃત્ત થઈ જવાની તીવ્ર ઈચ્છા રાખે છે, છતાં સંયાગાની વિપરીતતાથી સર્વથા હિંસાથી નિવૃત્ત થઈ શકતા નથી, તે સાધકથી થતી છત્રનનિર્વાહ માટે અનિવાય હિઁ'સા દ્રવ્યહિઁ'સા છે. આમ સંસારમાં રહેલા મનુષ્યેામાં ત્રણે પ્રકારની હિંસા સંભવે છે. (૩) સસરત્યાગી અપ્રમત્ત મુનિની સયાગવશાત્ થઈ જતી ર્હિંસા દ્રવ્યહિ'સા છે. જેમકે- અપ્રમત્તભાવે યુગપ્રમાણ દૃષ્ટિ રાખીને જઈ રહેલ મુનિના પગ નીચે અકસ્માત કાઈ જીવ આવી જાય અને મૃત્યુ પામે તે એ દ્રવ્યહિંસા છે. કાણુ કે સુનિ અપ્રમત્ત છે. તેમનુ મન જીવાને ખચા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy