SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ શ્રી તત્વાર્થીધિગમ સૂત્ર વિચાર કર્યા વિના બોલવું વગેરે અસત્યનાં કારણે છે માટે તેમને ત્યાગ કરવો જોઈએ. - (૩) ત્રીજા મહાવ્રતની ભાવનાઓઃ (૧) અનુવીચિ અવગ્રહ યાચના:-અનુવચિ એટલે વિચારઅવગ્રહ એટલે રહેવા માટેની જગ્યા. યાચના એટલે માગણું. સાધુઓએ જે સ્થાને વાસ કરવો હોય તે સ્થાનને જે માલિક હોય તેની (કેટલી જગ્યા જોઈશે ઈત્યાદિ) વિચારપૂર્વક રજા લઈને જ તે સ્થાનમાં વાસ કરવો જોઈએ. અન્યથા અદત્તાદાન દેષ લાગે. ઈન્દ્ર, ચકવતી, માંડલિક રાજા, ગૃહસ્વામી અને સાધર્મિક (પિતાની પહેલાં ત્યાં રહેલા સાધુઓ) એમ પાંચ પ્રકારના સ્વામી છે. (૨) વારંવાર અવગ્રહ યાચનાઃ–સામાન્યથી અવગ્રહની યાચના કરવા છતાં શગ આદિની અવસ્થામાં ભિન્ન ભિન્ન જગ્યાનો ભિન્ન ભિન્ન રીતે ઉપગ કરવો પડે તે જ્યારે જ્યારે જે જે જગ્યાનો જે જે રીતે ઉપયોગ કરવાનો હોય ત્યારે ત્યારે તે તે જગ્યાને તે તે રીતે ઉપયોગ કરવાની ચાચના કરવી જોઈએ. (૩) અવગ્રહ અવધારણ:અવગ્રહની માગણી વખતે કેટલી જગ્યાની જરૂર છે તેને નિર્ણય કરી જરૂર જેટલી જગ્યા માગીને તેટલી જ જગ્યાનો ઉપગ કરવો. (૪) સમાન ધાર્મિક અવગ્રહ યાચનઃસાધુઓના સમાન ધાર્મિક સાધુઓ છે. જે સ્થળે પૂર્વે આવેલા સાધુઓ ઉતરેલા હોય તે સ્થળે ઉતરવું હોય તે પૂવે ઉતરેલા સાધુઓની અનુજ્ઞા લેવી જોઈએ. (૫) અનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy