SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર (૪) શુષિર –પવન પૂરવાથી વાંસળી, પા વગેરે દ્વારા ઉત્પન્ન થતા શબ્દો. (૫) સંઘર્ષ –લાકડા વગેરેના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતે વનિ. (૬) ભાષા :-જીવના મુખના પ્રયત્નથી ઉત્પન્ન થતા શબ્દો. ભાષા બે પ્રકારની છે. વ્યક્ત અને અવ્યક્ત. બેઇદ્રિય આદિ જાની ભાષા અવ્યક્ત છે. મનુષ્ય આદિની ભાષા વ્યક્ત છે. વર્ણ, પદ અને વાક્ય સ્વરૂપ ભાષા વ્યક્ત ભાષા છે. ક, ખ, ગ વગેરે વણે છે. વિભક્તિ યુક્ત વર્ણોને સમુદાય પદ છે. પદોને સમુદાય વાક્ય છે. પ્રશ્ન –શબ્દનું જ્ઞાન ક્ષેત્રેદ્રિયથી થાય છે. આથી શ્રેત્રેન્દ્રિય વિનાના પ્રાણીઓ શબ્દને સાંભળી ન શકે. તે પછી ખેતરમાં લીલી વનસ્પતિ આદિ ઉપર બેઠેલાં તીડે ઢોલના અવાજથી ઉડી જાય છે તેનું શું કારણ? તીડ ચઉરિંદ્રિય પ્રાણું હોવાથી શ્રેત્રેન્દ્રિય રહિત હોય છે. ઉત્તર-તીડે ઢેલના અવાજને સાંભળતા નથી. પણ શબ્દ યુગલ રૂપ છે. ઢેલથી ઉત્પન્ન થતા અવાજના પુદ્ગલે ચારે બાજુ ફેલાય છે. ફેલાયેલા શબ્દના પગલેની તીડોના શરીર ઉપર પ્રહાર રૂપે અસર થાય છે. શબ્દના પગલેને પ્રહાર સહન ન થવાથી તીડે ઊડી જાય છે. જેમ શબ્દના પુદ્ગલની પ્રહાર આદિથી પ્રતિકૂળ અસર થાય છે તેમ સંગીત આદિ દ્વારા અનુકૂળ અસર પણ થાય છે. આથી જ અમુક અમુક વનસ્પતિઓ-વૃક્ષે વગેરેને સંગીતના પ્રયોગથી, જલદી અને વધારે વિકસિત કરી શકાય છે. ગાયને દેહતી. વખતે સંગીત સંભળાવવાથી ગાયે વધારે દૂધ આપે છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy