SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો અધ્યાય ૨૬૩ એટલે જ પ્રાણપાનની (શ્વાસોચ્છવાસની) ક્રિયા કરવી. આમ શ્વાસોચ્છવાસ પણ પુદ્ગલના પરિણામ રૂપ છે. હાથ આદિથી મુખ અને નાકને બંધ કરવાથી શ્વાસેશ્વાસને પ્રતિઘાત થવાથી અને કંઠમાં કફ ભરાઈ જતાં અભિભવ થવાથી શ્વાસોશ્વાસ પુદ્ગલ દ્રવ્ય છે એ સિદ્ધ થાય છે. આમ શરીર, ભાષા, મન અને પ્રાણપાન એ ચારેય પુદ્ગલના પરિણામ રૂપ છે, એટલે કે પદ્ગલિક છે. [૧૯] (૧) સુખઃ—સાતવેદનીય કર્મના ઉદયથી ઈષ્ટ સ્ત્રી, ભેજન, વસ્ત્ર આદિ દ્વારા ઉત્પન્ન થતી માનસિક પ્રસન્નતાઆનંદ. આ સુખમાં બાહ્ય અને આત્યંતર એ બે કારણે છે. સાતવેદનીય કર્મને ઉદય અંતરંગ કારણ છે. ઈષ્ટ ભેજન આદિની પ્રાપ્તિ બાહ્ય કારણું છે. આ બંને કારણે પુદ્ગલ રૂપ હોવાથી સુખ પુદ્ગલને ઉપકાર છે. (૨) દુઃખ –અસાતવેદનીય કર્મના ઉદયથી અનિષ્ટ ભેજન વસ્ત્ર આદિ દ્વારા ઉત્પન્ન થતે માનસિક સંકલેશ. દુઃખ અસાતવેદનીય કર્મના ઉદય રૂપ આંતર અને અનિષ્ટ ભેજન આદિની પ્રાપ્તિ રૂપ બાહ્ય કારણથી થાય છે. આ બંને કારણે પદ્ગલિક હોવાથી દુઃખ પુદ્ગલને ઉપકાર છે. (૩) જીવિત (જીવન)–ભવસ્થિતિમાં કારણ આયુષ્ય કર્મના ઉદયસ્થી પ્રાણનું ટકી રહેવું એ જીવન છે. આ જીવન આયુષ્ય કર્મ, ભજન, શ્વાસોશ્વાસ આદિ આવ્યંતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy