SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ માથા અધ્યાય ૨૧૯ નથી. (૩) સાતવેદનીય કર્મના ઉદયથી બાહ્ય વિષયમાં ઈષ્ટ અનુભવ રૂપ સુખ ઉપર ઉપરના દેવેને અધિક હોય છે. (૪) ઇતિ એટલે દેહ, વસ્ત્ર, આભૂષણ વગેરેની કાંતિ. (૫) લેશ્યાનું નિરૂપણ આગળ આવશે. પણ અહીં એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે-જે દેવેમાં સમાન વેશ્યા છે, તેમાં પણ ઉપર ઉપરના દેવેને અધિક અધિક વિશુદ્ધિ હોય છે. (૬) ઉપર ઉપર ચક્ષુ આદિ ઈંદ્રિયે અધિક પટુ હોવાથી ઇદ્રિય વિષય અધિક છે. ઉપર ઉપરના દે. અધિક દૂર આંખ દ્વારા જોઈ શકે છે. એમ અન્ય ઈદ્રિયો વિશે પણ જાણવું. (૭) ઉપર ઉપરના દેવેને અવધિજ્ઞાન વિશુદ્ધ અને વિશેષ વિશેષ હોય છે. સૌધર્મ–ઈશાન કલ્પના દે નીચે રત્નપ્રભા પૃથ્વીના અંત સુધી, ઉપર પિતાના વિમાનની ધજા સુધી, તિર્યમ્ અસંખ્ય જન સુધી અવધિજ્ઞાનથી જઈ શકે છે. સનકુમાર મહેંદ્રના દેવ નીચે શર્કરામભા પૃથ્વીના અંત સુધી, ઉપર પોતાના વિમાનની ધજા સુધી, તિથ્થુ અસંખ્ય યોજન સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. એમ ક્રમશઃ વધતાં અનુત્તરદેવે સંપૂર્ણ લેકનાડીને જોઈ શકે છે. જે દેશમાં ક્ષેત્રથી અવધિજ્ઞાનને વિષય સમાન છે તે દેવામાં પણ ઉપર ઉપરના પ્રસ્તર અને વિમાનની અપેક્ષાએ અધિક અધિક અવધિજ્ઞાન હોય છે. એ જ પ્રમાણે અવધિજ્ઞાનની વિશુદ્ધિ પણ ઉપર ઉપર: અધિક હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy