SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ અધ્યાય ૮૧ જ્યારે આપણને ઝેરની સ્મૃતિ થાય કે ઝેરને જોઈએ ત્યારે ઝેર એટલે જીવનને અંત લાવનાર વસ્તુ એ આપણને ખ્યાલ આવે છે. પણ જે આપણે ઝેર અંગે સૂમતાથી વિચાર કરીએ તે ઝેર નૂતન જીવનની ભેટ આપે છે એમ પણ ખ્યાલ આવશે. ઝેરમાં જેમ જીવનને અંત લાવવાને ધર્મ છે તેમ નૂતન જીવન અર્પણ કરવાને પણ ધર્મ છે. આથી જ અનેક ઔષધમાં ઝેરનું મિશ્રણ થાય છે. ઝેરમાં અમુક રેગેને નાબુદ કરવાની પણ શક્તિ હોય છે. તમે માનો કે ન માનો પણ એક સત્ય ઘટના છે. એક શહેરમાં એક ડેકટરના મિત્ર બિમાર થયા. ડોકટરે તેમની સારવાર શરૂ કરી. મિત્રના કુટુંબમાં કેઈ ન હતું. મિત્ર એકલા જ હતા. મિત્રની મિલકત પણ ઠીક ઠીક હતી. ડેકટરની સેવાથી ખુશ થયેલા મિત્રે ડોક્ટરને કહી દીધું કે મારા મૃત્યુ બાદ મારી બધી મિલકત તમને મળે એ માટે તમારા નામનું વિલ કરી લઈએ. વિલ ડોકટરના નામનું થઈ ગયા બાદ ડોકટરની દાનત બગડી. તેણે મિત્રને ઔષધને બદલે ઝેર આપી દીધું. ડોકટર મિત્રના મૃત્યુની રાહ જોઈ રહ્યા. પણ મિત્રના શરીરમાં તે ઝેર અમૃતરૂપ બની ગયું. તેમને રેગ દૂર થઈ ગયે. આમ ઝેર અમુક પર્યાની અપેક્ષાએ ઔષધ-અમૃતરૂપ છે અને અમુક પર્યાયેની અપેક્ષાએ ઝેરરૂપ છે. ઉપરના ચારે ઉદાહરણેમાં અપેક્ષા શબ્દ વપરાયેલા છે. અહીં અપેક્ષા શબ્દને પ્રયાગ ખાસ જરૂરી છે. વસ્તુમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy