SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ>વિચાર અને કિંચિત એક વસ્તુને અભ્યાસ કરવા બેઠા હોઈએ, ત્યારે તે અંગે વિચારણા કરવી જોઈએ અને તેમાં જે કઈ પ્રશ્નો ફેરે તે શિક્ષકને પૂછવા જોઈએ. પરંતુ આપણે તે અંગે કંઈ વિચારણું જ ન કરીએ તે પ્રશ્ન કયાંથી સકુરે? આપણું જૈન શાસ્ત્રોમાં સ્વાધ્યાય પાંચ પ્રકારને કહ્યો છે: (૧) વાચના એટલે ગુરુ આગળ સૂત્ર અને અર્થને પાઠ લે. (૨) પૃચ્છના એટલે સૂત્ર અને અર્થ સંબંધી પ્રશ્ન કરવા. (૩) પરાવર્તન એટલે જે કંઈ શીખી ગયા હોઈએ તેનું પુનરાવર્તન કરવું. (૪) અનુપ્રેક્ષા એટલે તે પર ખૂબ ઊંડાણથી વિચાર કરે. અન્ય લેકે એને માટે નિદિધ્યાસન શબ્દને પ્રેગ કરે છે. અને (૫) ધર્મકથા એટલે સ્વાધ્યાયના ફળરૂપે ધર્મ કે તત્વનું જે સ્વરૂપ સમજાયું છે, તે કલ્યાણબુદ્ધિથી બીજાને સમજાવવું. વારુ, અહીં વિચાર શબ્દ ત્રણ અર્થમાં જાયેલે છે. વિચારને પ્રથમ અર્થ મત કે અભિમત છે. શ્રી " વિશેષાવશ્યકભાષ્યમાં આ અર્થ જણાવે છે. એટલે જીવ સંબંધી જ્ઞાની ભગવતેએ જે મત કે અભિમત દર્શાવેલ છે, તે જીવ-વિચાર. વિચારને બીજો અર્થ તત્વનિર્ણય છે. “ખતેમ– મહાનિધિ” આદિ પ્રસિદ્ધ સંસ્કૃત કે જેમાં આ અર્થ આપેલે છે; એટલે જીવ સંબંધમાં જ્ઞાની ભગવંતએ કરેલે જે તાવિક નિર્ણય તે જીવ-વિચાર. . . . " વિચારને ત્રીજો અર્થ ભેદપૂર્વકનું કથન છે અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001113
Book TitleJiva Vichar Prakashika yane Jain Dharma nu Prani Vigyan
Original Sutra AuthorShantisuri
AuthorDhirajlal Tokarshi Shah, Dharmadhurandharsuri, Kirtivijay, Mahaprabhavijay, Dharmanandvijay
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages501
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Biology
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy