SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ વનસ્પતિના જીવન પર આછો દષ્ટિપાત ૧૭૧. (૧૬) શબ્દગ્રહણશક્તિ-કંદલ અને કુંડલ વગેરે વનસ્પતિઓ મેઘગર્જનાથી પલ્લવિત થાય છે, તે શખગ્રહણની શક્તિ સમજવી. વળી વૃક્ષ તથા છેડવાઓ ઉપર સંગીતની અસર થાય છે, તે પણ શબ્દગ્રહણશક્તિ સમજવી. (૧૭) રૂપગ્રહણશક્તિ-કૂરબકાદિ વૃક્ષે સાલંકાર નવયૌવના સ્ત્રીઓના સાન્નિધ્યથી ફળ આપે છે, તે રૂપગ્રહણ શક્તિ સમજવી. (૧૮) ગંધગ્રહણશક્તિ-કેટલીક વનસ્પતિ એવી હેય છે કે જે ધૂપની સુગંધથી વધે છે, તેમાં ગંધગ્રહણ શક્તિ જાણવી. ' (૧૯) રગ્રહણશક્તિ-બધી વનસ્પતિઓ મૂળથી રસગ્રહણ કરે છે અને શેરડી જેવી કેટલીક વનસ્પતિઓ ભૂમિમાંથી મધુર રસ વિશેષ પ્રકારે ખેંચે છે, તે રસગ્રહણ શક્તિ જાણવી. (૨૦) સ્પર્શગ્રહણશક્તિ-વનસ્પતિને અડતાં તેનાં શરીરમાં સ્પંદન થાય છે અને લજજાવંતી વગેરે સંકેચાઈ જાય છે, તે સ્પર્શગ્રહણુસક્તિ સમજવી. (૨૧) રેગ : જેમ જીવંત પ્રાણીઓને જુદી જુદી જાતના રે લાગુ પડે છે અને તે ગ્ય ઉપચારોથી સારા થાય છે, તેમ વનસ્પતિને પણ જુદી જુદી જાતના રોગે લાગુ પડે છે અને તે ગ્ય ઉપચારેથી સારા થાય છે. (૨૨) ઝેરની અસર-જીવંત પ્રાણીઓ પર ઝેરની અસર બહુ બૂરી થાય છે, તેમ વનસ્પતિ ઉપર પણ બહુ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001113
Book TitleJiva Vichar Prakashika yane Jain Dharma nu Prani Vigyan
Original Sutra AuthorShantisuri
AuthorDhirajlal Tokarshi Shah, Dharmadhurandharsuri, Kirtivijay, Mahaprabhavijay, Dharmanandvijay
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages501
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Biology
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy