SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર રાંદેરમાં કર્યું. ભાગ્યયોગે એ ચોમાસામાં જ (આસો સુદિ ૮ મે) પૂ. મણિવિજય દાદા અમદાવાદમાં સ્વર્ગવાસી થયા; અને મુઠ સિદ્ધિવિજયજીના મનમાં ગુરૂજીનો અંતિમ વિયોગ, ગુરૂ ગૌતમની જેમ અપાર વેદના જગાવી ગયો. એમની ગુરૂસેવાની ભાવના અધૂરી જ રહી ગઈ. આમ છતાં અમદાવાદના ચાતુર્માસ દરમ્યાન, દીક્ષા પછીના છ એક માસ જેટલા ટૂંકા ગાળામાં, એમણે ગુરૂજીની એવી સાચા દિલથી સેવા કરી હતી કે આખી જિંદગી ચાલે એવા ગુરૂના આશીર્વાદ મળી ચૂક્યા હતા અને મુનિ સિદ્ધિવિજયજીનું શિષ્યપણું સફળ થયું હતું. શ્રી રત્નસાગરજી મહારાજ કંઈક આકરા સ્વભાવના અને એમાં લાંબા વખતની બિમારી; છતાં મુ સિદ્ધિવિજયજીએ સમભાવ અને શાંતિપૂર્વક સેવા કરીને એમનું દિલ જીતી લીધેલું. તે એટલે સુધી કે, પછી કોઈ કાંઈ વાત કરવા આવતું તો રત્નસાગરજી મહારાજ એમને મુ. સિદ્ધિવિજય પાસે જ મોકલી આપતા. આ રીતે એમણે રત્નસાગરજી મુ.ની આઠ વર્ષ સુધી ખડે પગે સેવા કરી અને તેઓ એક આદર્શ વૈયાવચ્ચ કરનાર લેખાયા. વળી સિદ્ધિવિજયજી સુરતમાં હતા એ દરમ્યાન ત્યાંના બીજા કોઈ ઉપાશ્રયમાં એક ખરતરગચ્છના મુનિ બિમાર પડી ગયા. મહારાજશ્રીને આ વાતની ખબર પડી, એટલે પછી એમનો વૈયાવચ્ચપ્રિય આત્મા નિષ્ક્રિય કેમ રહે ? મુ. સિદ્ધિવિજયજીએ એમની સેવાનું કાર્ય પણ ઉપાડી લીધું. એ રોજ સવારે વ્યાખ્યાન વાંચે; પછી પેલા ખરતરગચ્છની મુનિ પાસે જાય, એમની સેવા કરે; એમને ગોચરી વગેરે લાવી આપે, અને પછી ઉપાશ્રયે પાછા આવીને ખરે બપોરે એકાસણું કરે, કેવું ઉગ્ર તપશ્ચરણ! પૂ મણિવિજ્યજી દાદા પોતાની વૃદ્ધ ઉંમર છતાં નવદીક્ષિત મુનિ સિદ્ધિવિજયજીને સુરત રત્નસાગરજીની સેવા કરવા માટે રવાના કરે અને મુ. સિદ્ધિવિજયજી પોતાની અનેક જવાબદારીઓ છતાં એક ખરતરગચ્છના બીમાર મુનિની સેવા કરવાનું સ્વીકારે, એ બીના એટલું બતાવવાને બસ થવી જોઈએ કે તે કાળે સાધુસમુદાયનાં મન કેવાં ભદ્રપરિણામી અને એકબીજાના સુખે સુખી-દુઃખે દુઃખી થવાની ભાવનાથી સુવાસિત હતાં. સુરતમાં મહારાજશ્રીની પ્રેરણાથી એક પાઠશાળા સ્થાપવાનું નક્કી થયું, તો એમણે એની સાથે સદ્દગત મુ. શ્રી રત્નસાગરજીનું નામ જોડ્યું અને એ રીતે પોતાની નિષ્કામવૃત્તિ અને કીર્તિની લોલુપતાનો અભાવ પ્રત્યક્ષ બતાવી આપ્યાં. સુરતમાં રહ્યા તે દરમ્યાન મુ. સિદ્ધિવિજ્યજી પૂ. આત્મારામજી મહારાજના સંપર્કમાં આવ્યા અને એમની પાસે સૂત્રસિદ્ધાંતનો, ખાસ કરીને ઉત્તરાધ્યયન સૂત્રનો અભ્યાસ કર્યો. બન્ને વચ્ચે ખૂબ પ્રીતિ હતી અને આત્મીયતાનો સંબંધ હતો. પૂ. આત્મારામજી મહારાજ તો એમને ‘છોટા ચાચા' કહીને બોલાવતા. મુ સિદ્ધિવિજયજીને અભ્યાસની ખૂબ તાલાવેલી. એ માટે એ ગમે તેવી મહેનત કરવાનું અને ગમે તે કષ્ટ સહન કરવાનું ય ન ચૂકે. એકવાર તેઓ છાણીમાં રહેલા. તે કાળે વડોદરા રાજ્યના રાજારામ શાસ્ત્રી સંસ્કૃતના મોટા વિદ્વાન લેખાય. સિદ્ધિવિજયજીને થયું, આવા પંડિત પાસે કાવ્ય અને ન્યાયનો અભ્યાસ કરવાનું મળે તો કેવું સારું ! પણ રહેવું છાણીમાં અને ભણવું વડોદરામાં, એ કેમ બને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001107
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 02
Original Sutra AuthorAryarakshit
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2000
Total Pages560
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy