SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શ્રીમાન્ મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર પ્રશિષ્યાદિ પરિવાર પણ મોટો છે. જેમાં તેમના શિષ્ય કમળવિજયજી (વિજય કમનસૂરિજી) નો પરિવાર વિશેષ છે. એમના અન્ય શિષ્યો હંસવિજયજી, ગુલાબવિજયજી, થોભણવિજયજી, ન્યાયશાસ્ત્રના સારા અભ્યાસી દાનવિજયજી વિગેરે હતા. હાલમાં શ્રીવિજયકમળસૂરિજી તથા ગુલાબવિજયજી તથા દાનવિજયજી તથા થોભાણવિજયજી ના પરિવારના મુનિઓ વિદ્યમાન છે. સમુદાયના મુનિવગ ઉપર એમનો વિશેષ કાબુ હતો તેમજ વૃદ્ધિચંદજી વિગેરે ગુરૂભાઇઓ પણ એમનું બહુમાન કરતા હતા. સંવત ૧૯૪૫ ના માગશર વદિ છઠને દિવસે ભાવનગરમાં તેઓ કાળ ધર્મ પામ્યા. અગ્નિસંસ્કાર સ્થાને એમનાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં છે. (૨) વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદજી) પંજાબ રામનગર શહેરમાં એમનો જન્મ ઓસવાળ જ્ઞાતિમાં સંવત ૧૮૯૦ માં થયો હતો. ૧૯૦૮ ના અષાઢ માસમાં મહારાજશ્રી બુટેરાવજી પાસે દિલ્લીમાં દીક્ષા લીધી અને ૧૯૧૨ માં યોગોદહન કરી વડી દિક્ષા લીધી અને મુનિશ્રી વૃદ્ધિવિજયજી નામથી મુનિવર્યશ્રી બુદ્ધિવિજયજીના શિષ્ય થયા. એઓ શાંત સ્વભાવી હતા. એમના ઉપદેશની અસર બહુ સારી થતી હતી. ભાવનગર વિગેરે સ્થળોમાં એમણે બહુ ઉપકાર કર્યો છે અત્યારે પણ ભાવનગર એમના ઉપકારનું સ્મરણ કરે છે. એમના ૧ કેવળવિજ્યજી, ૨ ગંભીરવિજયજી, ૩ ઉત્તમવિજયજી, ૪ ચતુરવિજયજી, ૫ રાજવિજયજી, ૬ હેમવિજયજી, ૭ ધર્મવિજયજી, ૮ નેમવિજયજી, (વિજયનેમિસૂરિજી) ૯ પ્રેમવિજયજી અને ૧૦કપૂરવિજયજી એ દશ શિષ્યો હતા એ સઘળાઓમાં માત્ર મુનિશ્રી રાજવિજયજી સિવાયના નવ શિષ્યો નો પરિવાર હાલ વિદ્યમાન છે તથા તેમવિજયજી (વિજયનેમિસૂરિજી) અને કપૂરવિજયજી પોતે વિદ્યમાન છે. એમનો શિષ્ય પ્રશિષ્ય વર્ગ વિશેષ છે તેમાં ઘણા વિદ્વાનો છે. આચાર્યશ્રી વિજયનેમિસૂરિજી વિગેરે તેમનો શિષ્ય પ્રશિષ્ય વર્ગ શાસનને ઉપકાર કરી રહ્યો છે. એમણે ભાવનગરમાં ૧૯ અને અમદાવાદમાં ૧૨ ચોમાસા કર્યા હતા. શારીરિક સ્થિતિ રોગગ્રસ્ત હોવાથી ભાવનગરમાં વિશેષ રહેવાનું થયું હતું. કુલ ૪૧ વર્ષ દીક્ષા પર્યાય પાળી સંવત ૧૯૪૯ ના વૈશાખ શુદિ સાતમે ભાવનગરમાં કાળધર્મ પામ્યા. એમના અગ્નિસંસ્કારના સ્થાને એમની પાદુકા સ્થાપન કરવામાં આવી છે. (૩)નીતિવિજયજી, એમનો જન્મ સુરતમાં થયો હતો. એમનું નામ નગીનદાસ હતું. એમણે ૧૯૧૩ માં ભાવનગરમાં મુનિવર્યશ્રી મુળચંદજીના હાથે દીક્ષા લીધી અને બુટેરાવજીના શિષ્ય થયા. એ પણ મહા પ્રતાપી હતા. કાવ્યશક્તિ પણ સારી હતી. ઉપદેશ શૈલી એવી અસરકારક હતી જે એમની પાસે આવેલો મનુષ્ય અવશ્ય વૈરાગ્ય પામે. એમણે સંવત ૧૯૨૨ માં ડીસામાં એકી સાથે પાંચ શ્રાવકોને દીક્ષા આપી હતી તથા વ્રત નિયમો પણ એમણે બહુ કરાવ્યા હતા. એમના હાલ વિધમાન શિષ્ય મુનિવર્યશ્રી સિદ્ધિવિજયજીનો પણ વૈરાગ્ય, શાંતિ અને ઉપદેશ શૈલી બહુ ઉપકારી છે. અતિ વૃદ્ધાવસ્થા છતાં પણ અપ્રમત્તભાવને દર્શાવતું એમનું વર્તન અનુકરણીય છે. મહારાજશ્રી નીતિવિજયજી વૃદ્ધાવસ્થામાં ખંભાતમાં વિશેષ રહ્યા હતા. એમના શિષ્ય પ્રશિષ્યો પણ સારી સંખ્યામાં છે. એમના શિષ્યો ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001106
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Original Sutra AuthorAryarakshit
AuthorPunyavijay, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1999
Total Pages540
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, G000, G010, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy