SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આ ત્રણે દ્રવ્યો આ રીતે સહાયક છે એમ માનવું જોઈએ. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણે દ્રવ્યો સંખ્યામાં દ્રવ્યથી એક જ છે. ક્ષેત્રથી પ્રથમનાં બે દ્રવ્યો લોકમાં વ્યાપ્ત છે. અને આકાશ લોક અને અલોક એમ બંનેમાં વ્યાપ્ત છે. કાળથી અનાદિ-અનંત છે. ભાવથી વર્ણ-ગંધ-૨સ સ્પર્શ વિનાના અરૂપી છે. ગુણથી પહેલું દ્રવ્ય ગતિસહાયક, બીજું દ્રવ્ય સ્થિતિસહાયક, ત્રીજું દ્રવ્ય અવગાહસહાયક છે. હવે અજીવ દ્રવ્યનો ચોથો ભેદ જે પુદ્ગલાસ્તિકાય છે તેનો વિચાર કરીએ. પુદ્ એટલે પુરણ અને ગલ એટલે ગલન છે જેમાં તે પુદ્ગલ કહેવાય છે. અર્થાત્ જેમાં અણુઓ આવે અને વિખેરાય, વધઘટ થાય તે પુદ્ગલ દ્રવ્ય છે. આ પુદ્ગલ દ્રવ્ય અનંતા છે. સમસ્ત લોકમાં છે. અલોકમાં ધર્માસ્તિકાયની સહાય ન હોવાથી પુદ્ગલોનું ગમનાગમન નથી માટે અલોકમાં પુદ્ગલો નથી. કોઈપણ આખી વસ્તુ હોય તેને અંધ કહેવાય છે. જેમ કે ખુરશી, ટેબલ, પુસ્તક વિગેરે, આખી વસ્તુની સાથે જોઈન્ટ એવો વસ્તુનો એક ભાગ તે દેશ કહેવાય છે. જેમ કે ખુરશીમાં જોઈન્ટ તેનો પાયો, ટેબલનો કોઈ પણ એક ભાગ, પુસ્તકમાંનું કોઈ પણ એક પાનું વિગેરે, આ દેશ જો સ્કંધથી છૂટો પડે તો તે સ્કંધ બને છે. કારણ કે સ્વતંત્ર દ્રવ્ય બન્યું છે. સ્કંધની સાથે જોડાયેલો અત્યન્ત છેલ્લી કોટીનો જે ભાગ જેના બે ભાગ ન થઈ શકે તેવો નિર્વિભાજ્ય જે ભાગ તે પ્રદેશ કહેવાય છે. આ જ પ્રદેશ જ્યારે સંધથી છૂટો પડે છે ત્યારે પરમાણુ કહેવાય છે. પ્રદેશ અને ૫૨માણુ બંને કદમાં તદ્દન સરખા હોય છે. પરંતુ એક સ્કંધની સાથે જોઈન્ટ હોય છે અને એક સ્કંધથી છૂટો હોય છે. બંને નિર્વિભાજ્ય હોય છે. આ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ કુલ ચાર ભેદો છે. આ પુદ્ગલાસ્તિકાયમાં આઠ વર્ગણા આવે છે. વર્ગણા એટલે પુદ્ગલોનો જથ્થો, પિંડ. તે આઠનાં નામ આ પ્રમાણે છે. (૧) ઔદારિક વર્ગણા (૨) વૈક્રિય વર્ગણા (૩) આહારક વર્ગણા (૪) તૈજસ વર્ગણા (૫) ભાષા વર્ગણા (૬) શ્વાસોશ્વાસ વર્ગણા (૭) મન વર્ગણા (૮) કાર્મણ વર્ગણા. એક પછીની એક વર્ગણા ઘણા ઘણા પરમાણુઓની બનેલી છે, વધારે સૂક્ષ્મ છે. (૧) મનુષ્ય-તિર્યંચોનું જે શરીર તે ઔદારિક શરી૨, તે શરીર બનાવવામાં જે કામ આવે એવાં પુદ્ગલો તે ઔદારિક વર્ગણા. Jain Education International ૪૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy