SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ગણાય. તેની ધરપકડ થાય, કેસ થાય, ફાંસી આદિની સજા થાય કારણ કે જેનું ખૂન થયું તે પણ આ દુનિયામાં સ્વતંત્ર જીવન જીવવાનું લઈને જભ્યો હતો. તે જીવન ખૂન કરનારાએ છીનવી લીધું માટે તે ખૂની-ગુનેગાર ગણાય છે. તેવી જ રીતે પશુ-પક્ષીઓ-માછલાં વિગેરે પ્રાણીઓ પણ પોતપોતાનું સ્વતંત્ર જીવન જીવવાનું લઈને જન્મ્યાં છે તો પછી તેમનું જીવન આપણાથી કેમ લૂંટી લેવાય ? આ પણ પરાયા જીવનને લૂંટવાનો ગુનો કેમ ન ગણાય ? માટે સરકાર ભલે કદાચ તેને ગુનો ન ગણે પરંતુ કુદરતને ઘેર (કર્મબંધમાં) તો આવા જીવોની પ્રાણહત્યા કરવી એ પણ ગુનો જ છે. માટે આવાં મહાપાપોથી હંમેશાં દૂર રહેવું. સંસારમાં ખાવાપીવાનું બીજું ઘણું દ્રવ્ય છે જ, તો પછી શા માટે આવાં ભયંકર પાપ કરવાં જોઈએ ? માટે માંસાહાર, અભક્ષ્ય-અનંતકાય પદાર્થો આપણે જીવનભર ત્યજી દેવા જોઈએ. ઇરિયાવહિયં સૂત્રથી પાપોની ક્ષમા માગવા છતાં આ આત્માને તે પાપોની ફરીથી શુદ્ધિ કરવા માટે અને વિશેષે શુદ્ધિ કરવા માટે તસ્સઉત્તરી સૂત્ર બોલાય છે. જેમ કપડું એકવાર સુંદર ધોયા પછી તેના ઉપર ઇસ્ત્રી ઘસવામાં આવે છે તે રીતે આ બીજું સૂત્ર બોલાય છે. તે થઈ ગયેલાં પાપોની પુનઃ પુનઃ શુદ્ધિ કરવા માટે, પ્રાયશ્ચિત્ત કરવા માટે, આત્માની નિર્મળતા માટે અને આત્માને શલ્ય રહિત બનાવવા માટે હવે હું કાયોત્સર્ગ કરું છું. શલ્ય એટલે ડંખ, કાંટો. તે ત્રણ પ્રકારના છે. (૧) માયાશલ્ય, (૨) મિથ્યાત્વશલ્ય, (૩) નિયાણશલ્ય. કપટવૃત્તિ તે માયાશલ્ય; કુદેવકુગુરુ અને કુધર્મની શ્રદ્ધા મિથ્યાત્વશલ્ય અને કરેલાં તપાદિ ઘર્મોના ફળમાં સંસારસુખની માંગણી કરવી તે નિયાણશલ્ય. આ ત્રણે શલ્યો અશુભ છે, કર્મ બંધાવનારા છે, આત્માનું અકલ્યાણ કરનારા છે. તેથી તેઓને ત્યજવા માટે અને પાપકર્મોનો નાશ કરવા માટે હું કાઉસગ્ન કરું છું.' * કાયોત્સર્ગ એ શબ્દ સંસ્કૃત છે. તેના પરથી જ પ્રાકૃતમાં “કાઉસગ્ગ” શબ્દ બને છે. કાયાની સમસ્ત ચેષ્ટાનો ત્યાગ તે કાયોત્સર્ગ કહેવાય છે. આપણાથી નાની મોટી કોઈપણ પ્રકારની જીવહિંસા થઈ હોય તેની શુદ્ધિ માટે આત્મા પોતે જ તેના દંડરૂપે “કાયોત્સર્ગ કરે છે. જેમ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ઉદ્ધત વર્તન કરે તો તેને દંડરૂપે ઊભા રાખવામાં આવતા, અંગૂઠા પકડાવવામાં આવતા તે રીતે આ કાયોત્સર્ગ પણ પાપ ફરીથી નહિ કરવા માટે શિક્ષારૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy