SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ આ બંનેમાં ઘણું અંતર છે. એકનું હૃદય ભાવપરિણતિવાળું હોવાથી આરાધક બને છે અને બીજાનું હૃદય ભાવપરિણતિશૂન્ય માત્ર માનાદિકષાયપોષક જ હોવાથી અને ઉન્માર્ગપોષક હોવાથી વિરાધક છે. | અવિધિ આચરનારા આ બંને જીવોનો સ્પષ્ટ ભેદ જાણ્યા વિના કોઈ શિષ્ય ગ્રંથકાર પ્રત્યે શંકા કરે છે કે – જો અવિધિએ પણ ધર્માનુષ્ઠાન થાય એવો માર્ગ તમે નહીં ચલાવો તો વિધિયુક્ત ધર્મ કરનારા જીવો પરિમિત હોવાથી કાલાન્તરે તેઓ ન હોય ત્યારે તીર્થનો ઉચ્છેદ થઈ જશે. માટે ગમે તેમ અવિધિ કરે તો પણ ચલાવી લેવું જોઈએ. જેથી ભગવાને કહેલું શાસન પાંચમા આરાના છેડા સુધી ટકી શકે. એટલે કે “તીર્થના અનુચ્છેદ માટે અવિધિવાળું ધર્માનુષ્ઠાન પણ ચલાવી લેવું જોઈએ”આવી યુક્તિ આલંબનીય નથી. અર્થાત્ આવી દલીલ યુક્તિયુક્ત નથી. કારણ કે અવિધિપૂર્વકનું અનુષ્ઠાન કરાયું છતે જેને જેમ યોગ્ય લાગે તેમ અનુષ્ઠાન આચરે. તેથી અસમંજસ વિધાન થવાથી = સૌ સૌના મનને યોગ્ય લાગે તેમ ભિન્ન ભિન્ન આચરણાઓ ચલાવવાથી શાસ્ત્રમાં કહેલ જે મૂળ માર્ગ, તેનું અન્યથા કરવાથી અશુદ્ધ માર્ગની પરંપરાની પ્રવૃત્તિ થવાથી તીર્થકર ભગવન્તોક્ત મૂળસૂત્ર અને તેને અનુસારી ક્રિયાનો વિનાશ થશે. અને ખરેખર તે જ તીર્થોચ્છેદ છે. શાસન = તીર્થ = સૂત્ર અને સૂત્રોકતક્રિયા, જો આ મૂળમાર્ગ જ વિચ્છેદ થઈ જાય તો અસમંજસ આચરણાવાળા જનસમૂહથી તીર્થ કેમ ચાલે ! જનસમૂહ તે તીર્થ નથી પરંતુ શાસ્ત્રોક્તસ્ત્રક્રિયાનુસારે વર્તનાર ચતુર્વિધ શ્રી સંઘ તે તીર્થ છે. માટે તીર્થના અનુચ્છેદ માટે પણ અવિધિએ ધમનુષ્ઠાન ચલાવી લેવું જોઈએ આ દલીલ બરાબર નથી. જૈનસમાજમાં જે “તીર્થ” એવું નામ પ્રસિદ્ધ છે તેનો અર્થ ફક્ત “જનસમુદાય તે તીર્થ” એવો નથી. કારણ કે તીર્થકર ભગવન્તની આજ્ઞા વિનાનો તે જનસમુદાય તો “હાડકાંનો માળો” છે. એમ જ્ઞાની પુરુષોએ પ્રતિપાદન કરેલું છે. માટે જનસમુદાય માત્ર તીર્થ નથી પરંતુ પ્રવચનના સૂત્રોમાં કહેલી યથોચિત વિધિપૂર્વકની અથવા વિધિસાપેક્ષની) ક્રિયાથી યુકત એવા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમુદાય તે તીર્થ કહેવાય છે. માટે અવિધિ આચરવામાં, અવિધિ ચલાવી લેવામાં અને અવિધિનો ઉપદેશ 0 શ્રી યોગવિશિમ જ ૮૦ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy