SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ बाधकचिन्तासहितं भवति, स्थिररूपं त्वभ्याससौष्ठवेन निर्बाधकमेव जायमानं तज्जातीयत्वेन बाधकचिन्ताप्रतिघाताच्छुद्धिविशेषेण तदनुत्थानाच्च तद्रहितमेव મવતીતિ | હવે સ્થિરતા યોગનું વર્ણન કરે છે કે - પ્રવૃત્તિયોગમાં જેમ સર્વ ઠેકાણે ઉપશમપ્રધાન સ્થાનાદિયોગોનું પાલન છે તે જ રીતે પાલન કરાતા એવા આ સ્થાનાદિ યોગોનું બાધક ચિંતા રહિતપણું તે જ સ્થિરતા યોગ જાણવો ! પ્રવૃત્તિ યોગમાં આવેલો આત્મા વીયતિશયથી શાસ્ત્રને અનુસારે સ્થાનાદિ યોગોમાં ઉપશમપ્રધાન પ્રવૃત્તિ કરે છે. પરંતુ તેમાં આવનારા બાધકદોષો (વિપ્નો) પોતાના આ અનુષ્ઠાનને મલીન કરી નાખશે, દોષિત કરશે એવી ચિંતાથી બાધક દોષોથી દૂર રહીને સ્થાનાદિ યોગોમાં પ્રવૃત્તિ કરે છે. એમ સતત પ્રવૃત્તિના કારણે આ સ્થાનાદિ યોગોનો એવો અભ્યાસપટુ થઈ જાય કે ગમે તેવાં વિઘ્નો આવે તોપણ આ યોગથી ચલિત ન થાય એવી પટુતા પ્રાપ્ત કરે ત્યારે તે સ્થિરયોગ બને છે. પ્રવૃત્તિયોગ અને સ્થિરયોગ આ બંને યોગમાં એટલી જ વિશેષતા છે કે જે પ્રવૃત્તિ યોગરૂપ સ્થાનાદિ યોગનું વિધાન છે તેમાં વીયતિશય. શાસ્ત્રાનું સારિતા, અને અંગસાકલ્યતા હોવા છતાં આત્માનો પરિણામ બાધક દોષોથી ભયભીત હોય છે. વિઘ્નો આવીને મારા આ યોગસેવનને મલીન ન કરી નાખે તેની સતત ચિંતા માથા ઉપર રહે છે. અને તેવી ભયભીત પ્રકૃતિ હોવાથી બાધક દોષો ન લાગે તે રીતે સ્થાનાદિ યોગોનું સેવન કરે છે બહારથી આ યોગસેવન શ્રેષ્ઠ દેખાતું હોવા છતાં અંતર પરિણામ દોષોની ચિંતાથી ભરેલું છે. કારણ કે તે કાળે અભ્યાસની પટુતા પ્રાપ્ત થયેલી ન હોવાથી સાતિચારવાળી કક્ષા છે. સામાન્ય સામાન્ય રાગ-દ્વેષાદિન નિમિત્તો આવતાં અનુષ્ઠાન મલીન થઈ જાય તેવી કક્ષા છે. આ પ્રમાણે અતિચારો લાગે તેવી ભૂમિકાવાળી કક્ષા હોવાથી સતત બાધક દોષોની ચિંતાથી ચિંતિત હોય છે પરંતુ સ્થિરયોગસ્વરૂપ અનુષ્ઠાન અભ્યાસની સુંદરતાને લીધે નિબંધક જ થયું છતું, તેની (નિબંધકતાની) જ જાતિવાળું થવાના કારણે બાધક દોષોની ચિંતાનો પ્રતિઘાત થવાથી / શ્રી યોગવિંશિકા જ ૪૧ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy