SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પરોપકારગુણવાળી એવી તે તે ધર્મક્રિયાની જે પ્રાપ્તિ તે તાત્ત્વિક સિદ્ધિ કહેવાય છે. स्वप्राप्तधर्मस्थानस्य यथोपायं परस्मिन्नपि संपादकत्वं विनियोगः, अयं चानेकजन्मान्तरसन्तानक्रमेण प्रकृष्ट धर्मस्थानावाप्तेरवन्ध्यो हेतुः । उक्तं च : सिद्धेश्चोत्तरकार्यं विनियोगोऽवन्ध्यमेतदेतस्मिन् । સત્યવ્યસંપત્યા, સુન્દરમિતિ તત્પર યાવતુ // ષોડ. ૩ - ૧૧ || “લવષ્ય” = 1 કિિગ્નકૃતમ્ | “તત” = ધર્મસ્થાનમરિંદ્રિા તસ્મિનુ” = विनियोगे सति । “अन्वयसंपत्त्या" = अविच्छेदभावेन । “तत्"= विनियोगसाध्यं ઘર્મશાન સુન્દરમ્ ! “તિ” = મિત્રમ: સમાચ% I “યાવFરમિયેવં યોઃ” = यावत् परं = प्रकृष्टं धर्मस्थानं समाप्यत इत्यर्थः ।। હવે “વિનિયોગ” નામના પાંચમા આશયભેદને સમજાવે છે. પોતાને પ્રાપ્ત થયેલા ધમનુષ્ઠાનો યથાયોગ્ય ઉપાયો દ્વારા પરવ્યક્તિમાં પણ સંપાદન કરાવવા તે વિનિયોગ આશય કહેવાય છે. પ્રથમના ચાર આશયો વડે જે ધર્મની આપણને સિદ્ધિ થઈ હોય તે ધર્મની સામેના જીવની પાત્રતાના અનુસારે ભિન્નભિન્ન ઉપાયો વડે પણ તેનામાં પ્રાપ્તિ કરાવવી તે વિનિયોગ કહેવાય છે ! ધર્મનો કરાતો આ વિનિયોગ ભાવિમાં આવતા અનેક ભવોની પરંપરાના ક્રમ વડે વૃદ્ધિ પામતાં પામતાં ઉત્કૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિનું અવધ્યકારણ બને છે. જેમ બાલ્યાવસ્થામાં જે વિષય વધુ અભ્યાસિત કર્યો હોય તે વિષય યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં વધુ દઢતર બને છે. તેવી રીતે આ જન્મમાં વારંવાર વિનિયોગ કરવા વડે જે ધમનુષ્ઠાન વધારે ભાવિત (સાક્ષાત્કાર) બન્યું હોય તે ધર્મસ્થાન ભાવિના ભવોમાં વધુ આત્મસાત્ બને છે. માટે ઉત્કૃષ્ટ ધર્મપ્રાપ્તિનું અવધ્યકારણ છે. એટલે કે પ્રણિધાનાદિ પ્રથમના ચાર આશયો વડે જે ધર્મની પ્રાપ્તિ થઈ હોય છે તે પૂર્વકૃત કર્મોના ઉદયથી ક્વચિત્ ચાલી પણ જાય છે. પછી ભલે કાળાન્તરે આવે. તેવું આ વિનિયોગમાં નથી બનતું. આ વિનિયોગાશય સુવર્ણઘટ તુલ્ય છે. માટીનો ઘટ ફૂટે તો ઠીકરાં કંઈ કામમાં ન આવે જ્યારે આ સુવર્ણઘટ ફૂટે તોપણ તેના સોનામાંથી અલંકારો પણ બને. શ્રી યોગવિશિષ્મ જ ૧૬ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy