SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ इच्छायोगवद्भिर्विकलानुष्ठायिभिर्गीतार्थैः . सिद्धान्तविधिप्ररूपणे तु निर्भरो विधेयस्तस्यैव तेषां सकलकल्याण-सम्पादकत्वात्, उक्तं च गच्छाचारप्रकीर्णक : મૂળ શ્લોકમાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું કે “લોકસંજ્ઞાને છોડીને, સમગ્ર પ્રકારે શાસ્ત્રોના પરમાર્થને વહન કરીને અતિનિપુણ પ્રજ્ઞાપૂર્વક પંડિત પુરુષોએ ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાન કરવું જોઈએ.” આ શ્લોકના અર્થની સામે પૂર્વપક્ષવાદીએ “વિયિ ” ગાથાથી પ્રશ્ન ઉઠાવ્યો, તેનું ટીકાકારશ્રીએ નિરાકરણ કર્યું અને અન્ત સ્થાપિત કર્યું કે “સર્વ યત્નપૂર્વક વિધિમાં જ પ્રયત્ન કરવો જોઈએ એમ ફલિત અર્થ સિદ્ધ થયો ! આ ફલિતાર્થની સામે કોઈ પ્રશ્નકાર પ્રશ્ન ઉઠાવે છે કે... તેવા પ્રકારની અતિશય વિધિપૂર્વકની ઉત્કૃષ્ટક્રિયા તો ભાવથી (નિશ્ચયથી) જે મહાત્માઓને છઠ્ઠ-સાતમું ગુણસ્થાનક સ્પર્યું હોય તેવાઓને જ સંભવી શકે. અમે તો પંચમ આરારૂપ કાળદોષ, સંઘયણ દોષ બુદ્ધિ-વૈર્ય-સ્થિરતામેધાદિની હીનતા, ઈત્યાદિ ભાવોને લીધે ઘણા જ નિર્બળ છીએ. દ્રવ્યથી છઠ્ઠ, સાતમું ગુણસ્થાનક પામેલા છીએ સાધુ આચારનું સેવન છે. પરંતુ એટલી ઊંચી પરિણતિ નથી. તેથી અમારે તો આવશ્યકદિની આચરણા અકર્તવ્ય જ બનશે. ભાવાર્થ એ છે કે તેવા પ્રકારની ભાવથી છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની પરિણતિને યોગ્ય (ઉત્કૃષ્ટ) વિધિપૂર્વકની ક્રિયાનો વ્યવહાર અમારામાં કાળદોષાદિના કારણે ન હોવાથી અમારે તો અત્યારની પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા પણ અકર્તવ્ય જ બનશે. કારણ કે તમે વિધિપૂર્વક જ ક્રિયાનો પક્ષપાત જણાવો છો. અને અવિધિએ ક્રિયા કરનારને મહામૃષાવાદાદિ દોષ કહો છો. અને અમારામાં એટલી ઊંચી ભાવપરિણતિ ન હોવાથી અવિધિ થવાનો સંભવ છે જ. તેથી તમારા કહેવા પ્રમાણે અત્યારના કાળે અવિધિદોષનો સંભવ હોવાથી ધાર્મિકાચરણ અકર્તવ્ય જ બનશે. ટીકાકારશ્રી ઉત્તર આપે છે કે આવી શંકા કરવી નહિ. વિકલ (ઓછું) અનુષ્ઠાન આચરનારા (પણ વિધિનો પક્ષપાત કરનારા) જીવોમાં પણ જે જે જયણાનો પરિણામ છે તે તે જયણા જ તે _/ શ્રી યોગવિશિw ૯૮ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy