SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ કે ધમનુષ્ઠાન ન કરે તો ગુરુપ્રાયશ્ચિત્ત આવે છે અને (અવિધિએ) પણ કરે તેને લઘુપ્રાયશ્ચિત આવે છે ? આવાં શાસ્ત્રોક્ત વચનોની શું ગતિ થશે ? જો તમારી વાત યથાર્થ હોય તો ઉપરોક્ત શાસ્ત્રવચન મિથ્યા ઠરશે. અને જો શાસ્ત્રવચન બરાબર હોય તો તમોએ કહેલ વાત મિથ્યા ઠરશે ? આવી પૂર્વપક્ષવાદીની શંકા છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે “વિહિયા” ઈત્યાદિ શાસ્ત્રવચનો મૂળથી જ અવિધિપૂર્વકની ક્રિયાપ્રવૃત્તિનાં વિધાયક નથી. પરંતુ, વિધિપૂર્વક ક્રિયામાં પ્રવર્તવા છતાં પણ અનાભોગાદિના કારણે (અનુપયોગ દશાના કારણે) છવાસ્થ આત્માને અવિધિદોષ થઈ જાય છે. તે દોષોના ભયથી ક્રિયાત્યાગ કરવો તે ઉચિત નથી. એવા અર્થને આ ગાથા ઘોષિત કરે છે. ફલિતાર્થ એ છે કે અવિધિએ ક્રિયા કરનારા જીવો બે પ્રકારના હોય છે ઃ (૧) વિધિસાપેક્ષ અને (૨) વિધિનિરપેક્ષ જેના હૈયામાં શાસ્ત્રવચન રમ્યું છે, ભગવન્તનું શાસન ગમ્યું છે, મોહાદિ દુર્ગણોને છેદનારી ભગવન્ત બતાવેલી ચૈત્યવંદનાદિ ધર્મક્રિયામાં જેને અત્યંત રચિ છે વિધિપૂર્વક કરવાનો અત્યંત ઉત્સાહ વર્તે છે કોઈ અવિધિ દોષ બતાવી વિધિમાર્ગે વાળે તો અતિશય રુચે છે અને તેના કારણે ગીતાર્થોની નિશ્રા પ્યારી છે – એવા વિધિસાપેક્ષ જીવો છઘસ્થપણાને લીધે અનુપયોગદશાથી કોઈ અવિધિ સેવાઈ જાય અથવા ચિત્ત બીજા વિષયોમાં ઉપયોગવાળું બનવાથી કોઈ અવિધિ સેવાઈ જાય તો તે દોષ અતિચારરૂપ છે. પ્રાયશ્ચિત્તાદિથી શુદ્ધીકરણને યોગ્ય છે. તેના ભયમાત્રથી ધમક્રિયા ત્યજી દેવી જોઈએ નહિ. આવા વિધિપાક્ષિક, અધ્યાત્મી, વૈરાગી આત્માઓને અવિધિ ટાળવાપૂર્વક વિધિમાં પ્રવર્તાવવા ક્રિયાની પુષ્ટિ માટે ઉપરોક્ત ગાથાવચનો છે. પૂર્વપક્ષવાદીએ તે વચનો વિધિનિરપેક્ષ જીવોમાં જોડ્યાં છે. તે બરાબર નથી. જે આત્માઓ વિધિથી તદન નિરપેક્ષ છે. આ કલિયુગમાં વિધિ અતિશય દુષ્કર છે જેમ ચાલે તેમ ચલાવી લેવું જોઈએ. જેમ તેમ પણ ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાન તો કરે છે. ગમે તેમ અવિધિએ પણ ધમનુષ્ઠાન થાય એમ કહી વિધિમાર્ગનો ઉચ્છેદ કરી અવિધિમાર્ગોની પુષ્ટિ અર્થે ઉપરની ગાથાવચનોનો જે ઉપયોગ કરે છે – તે યથાર્થ નથી. / શ્રી યોગવિંશિકા ૯૫ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy